કાયમ સરકાર આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસે અથવા તો જ્યારે વેળા જતી રહે પછી કાર્યવાહી કરે એટલે જ લોકો સરકારી કામકાજનો મતલબ જ ધીમીગતિના કામકાજ સાથે સરખાવે છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની ગતિ જે સ્પીડથી વધી રહી છે ત્યાં સરકારી મંથર ગતિ ચાલે તેમ નથી. કેન્દ્રના આદેશ બાદ આજે ગુજરાત સરકાર જાગી છે અને શ્રમિકોને વતન મોકલવા સમિતિ બનાવી છે.
રાજ્યમાંથી શ્રમિકોને વતન મોકલવા ભાજપે બનાવી કમિટી
પ્રદેશના 6 નેતાઓનું ગઠન કરીને બનાવાઈ કમિટી
કમિટીમાં બે સાંસદની પણ નિમણૂંક કરવામાં આવી
50 દિવસથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને ન પગાર મળ્યો છે ન રોજગાર ન ખાવા પીવા ત્યારે સામાન્ય વાત છે કે કમાણી માટે ગુજરાત આવેલા પરપ્રાંતિયોને પોતાનું વતન સાંભરે અને આવી વૈશ્વિક મહામારીનું સંકટ તોળાતુ હોય ત્યારે સૌ કોઈ પોતાના વતન પહોંચવા પ્રયાસ કરે ત્યારે એક છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં શ્રમિકોને કારણે દોડધામ મચી ગઈ છે. આખરે આજે મોડે મોડે જાગેલી સરકારે આ માટે કેન્દ્રના આદેશ બાદ કમિટીની રચના કરી છે.
સરકાર દ્વારા શ્રમિકોને ઘરે મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાંથી શ્રમિકોને વતન મોકલવા માટે ભાજપ દ્વારા કમિટી બનાવવામાં આવી છે.. પ્રદેશના 6 નેતાઓનું ગઠન કમિટી બનાવાઈ છે. કમિટીમાં બે સાંસદની પણ નિમણૂંક કરાઈ છે. જેમાં ભાર્ગવ ભટ્ટ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સી.આર.પાટીલ, કે.સી.પટેલ, સુનિલ સિંઘી, જશવંતસિંહ ભાભોરનો પણ સમાવેશ કરાયો છે.