ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ગુજરાત ભાજપે BJP ડિજિટલ વોરિયર્સ અભિયાનની શરૂઆત કરી
આગામી વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે રણનીતિ ઘડી
ડિજિટલ વોરિયર્સ અભિયાનની શરૂઆત
બીજી બાજુ 5 રાજ્યોના કાર્યકરો ગુજરાતમાં પ્રચારમાં જોતરાયા
ચુંટણી નજીક આવી છે ત્યારે રાજકીય પક્ષો જેટલો ફીઝીકલ પ્રચાર કરે છે એટલો જ પ્રચાર સોશિયલ મીડિયા મારફતે કરે છે. ત્યારે ભાજપ હવે લોકો પાસેથી માત્ર વોટ લે પરંતુ લોકો પાસે ભાજપ માટે પ્રચાર પણ કરાવશે. તેના માટે હવે ભાજપ સોશિયલ મીડિયા વોરીયર્સ અભિયાન લોન્ચ કર્યું છે. પાર્ટી સાથે લોકોને જોડવા માટે એક ટ્રોલ ફ્રી નંબર અને બારકોડ પણ જાહેર કર્યો છે. જેના માધ્યમથી લોકોને જોડી બાદમાં જીલ્લા અને તાલુકા સ્તર સુધી લોકોની વિગતો અલગ કરી તેમને જે તે વિધાનસભાના મુદ્દા આપવામાં આવશે અને તે લોકો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરશે આમ ભાજપ હવે ચુંટણી માટે લોકો પાસે માત્ર મત લેશે ચૂંટણીલક્ષી પ્રચાર સામગ્રી ઉપલબ્ધ કરાવી પ્રચારમાં જોતરશે.
શું છે BJP ડિજિટલ વોરિયર્સ અભિયાન?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે અભિયાન લોન્ચ કરતાં કહ્યું કે ભાજપની વિચારધારા સાથે લોકો સરળતાથી જોડાઈ શકશે. યુવાનો જરૂરી સુચનો અને સલાહ પણ આપી શકશે.આ 15 દિવસનું અભિયાન છે, 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. ટેકનોલોજીના જાણકાર યુવાનોને ભાજપ સાથે જોડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ અભિયાન આવનારા દિવસોમાં યુવાનોમાં નવો જુસ્સો લાવશે. 9624182182 ટોલફ્રી નંબર ડિજિટલ વોરિયર્સ અભિયાન માટે જાહેર કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ લોકો સાથે જોડાવા રસ્તાઓ અપનાવે છે. એક કરોડ 13 લાખ કરતાં વધારે પ્રાથમિક સદસ્યો છે. 80 લાખ કરતાં વધારે પેજ કમિટી સભ્યો છે. હજુ જે લોકો સુધી નથી પહોચ્યા તેમના સુધી અમે પહોચીશુ. કેમ્પેઈનના માધ્યમોથી કાર્યકર્તાની સાથે સંપર્કમાં રહીશું
યુપી અને રાજસ્થાનના કાર્યકરોના ગુજરાતમાં ધામા
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેંમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. જેમાં ભાજપનો ચૂંટણી રણનીતિ બની તેજ બની છે. કેમકે યુપી અને રાજસ્થાનના કાર્યકરોના ગુજરતામાં ધામાં નાખ્યા છે. આ કાર્યકરો બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.જેમાં UP અને રાજસ્થાન આવેલા કાર્યકરોને ચૂંટણી માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં UPના કાર્યકરો સૌરાષ્ટ્રની 48 બેઠકો તેમજ અમદાવાદની 16 બેઠકોમાં 128 UPના કાર્યકરો પ્રવાસની રૂપરેખા ઘડવામાં આવી છે. જ્યારે ઉતર ગુજરાતની 40 બેઠકો પર રાજસ્થાન ભાજપનાં 80 કાર્યકરોએ આજથી પ્રવાસે નીકળ્યા છે. આમ તો ભાજપ દ્વારા ચૂંટણી રણનીતિ માટે માઇક્રો પ્લાનિંગ રણનીતિ આધારે પ્રત્યેક વિધાનસભામાં બે કાર્યકરો બે દિવસનો પ્રવાસની રૂપરેખા ઘડાઈ છે. જેનો આજથી આરંભ થઈ ચૂક્યો છે. જો કે આવતી કાલે ઝારખંડ અને બિહાર કાર્યકરો વડોદરા તેમજ મહારાષ્ટ્રના કાર્યકરો પણ સુરત પહોંચશે. જેમાં ઝારખડ અને બિહારના કાર્યકરો મધ્ય ગુજરાતમાં અને મહારાષ્ટ્ર કાર્યકરો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરીને વિધાનસભા વાઇઝ બેઠકો સાથે ચિતાર મેળવશે.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના શુભહસ્તે સોશિયલ મીડિયા કેમ્પેઇન 'BJP Digital Warriors'નો શુભારંભ થયો. pic.twitter.com/ld0sl8ZQkh
કોંગ્રેસ કામ બોલે છે થી કાઠું કાઢશે
ભાજપ હોય કે કોંગ્રેસ ચુંટણી આવે એટલે કોઇપણ મુદ્દે એક બીજાને સતત ઘેરવામાં લાગેલા હોય છે અને જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી રાજકીય પક્ષોનું આ કામ આસાન થઇ ગયું છે.ગત ચુંટણીની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા વિકાસ ગાંડો થયો છે અને મારા હાળા છેતરી ગયાના મુદ્દા સાથે પ્રચાર કર્યો હતો જેમાં ઘણા અંશે તેમને સફળતા પણ મળી હતી ત્યારે આ વર્ષે કોંગ્રેસે કામ બોલે છે ના હેસ્ટેગ સાથે પ્રચાર શરૂ કર્યો છે અને ચુંટણી આવતા હજી ઘણા નવા મુદ્દા સાથે પ્રચાર કરશે. જેમાં ભ્રષ્ટાચાર,બેરોજગારી,સરકારી ભરતીના મુદ્દાઓને ચગાવી ભાજપને ઘેરશે.
દરેક પાર્ટીઓ નેતાઓના વિવાદિત નિવેદન પર રાખી રહી છે બાજ નજર
તો આ તરફ ભાજપ ભલે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે વિપક્ષી નેતાઓને ટ્રોલ ના કરે પરંતુ થર્ડ પાર્ટી મારફતે ટ્રોલિંગ કરી રહ્યા છે જેમ કે થોડા સમય અગાઉ રાહુલ ગાંધીએ લોટનો ભાવ લીટરમાં જાહેર કર્યો હતો. આ સાથે જ ભાજપએ મુદ્દાસર પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. અને જેમ જેમ કોંગ્રેસના નેતાઓ કોઈ ભૂલ કરે અથવા તો તેમના કોઈ નેતા હિંદુ વિરોધી નિવેદન કરે તો તે મુદ્દા સાથે પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ભાજપ 27 વર્ષના રાજ્ય સરકાર તેમજ 8 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓને લઈ જનતા સમક્ષ જશે.
વોટ આપતા પહેલા પ્રચાર ભરપૂર કરશે
તો ભાજપ એ હવે આગામી ચુંટણી માટે લોકો પાસેથી નહિ માત્ર વોટ લેવાનું નક્કી કર્યું પરંતુ લોકો પાસે પ્રચાર કરાવવાનો નિર્ણય પણ કરેલો છે.જેમાં સદસ્યતા અભિયાનની જેમ ભાજપ સોશિયલ મીડિયા વોરિયર અભિયાનની શરૂઆત કરી છે.