ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. એક પછી એક ધારાસભ્યો સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ પણ સરકાર સામે નારાજગી દર્શાવી છે. વડોદરાના મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર બાદ હવે મહેન્દ્ર ત્રિવેદીએ પણ સરકારનો છડેચોક વિરોધ નોંધાવ્યો છે.
પૂર્વ MLA મહેન્દ્ર ત્રિવેદીની પણ તંત્ર સામે નારાજગી
મનપા કમિશનર-GPCB સામે કોર્ટમાં ફરિયાદ
કનસારા શુદ્ધિકરણ મુદ્દે ઉઠાવ્યા સવાલ
કેતન ઇનામદાર, મધુશ્રીવાસ્તવ બાદ ભાજપના અન્ય એક નેતાએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. ભાવનગરના પૂર્ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ ખુદ ભાજપ સરકાર સામે જ મોરચો માંડ્યો છે.
પૂર્વ MLA મહેન્દ્ર ત્રિવેદીની પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા કનસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ પર સવાલ ઉભા કર્યાં છે. તેમણે જણાવ્યું છે કે, 2002માં આ પ્રોજેક્ટ માટે 25 લાખ રૂપિયા ફળવાયા હતા પરંતુ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. તેમણે આ મુદ્દે મનપા કમિશનર-GPCB સામે કોર્ટમાં ફરિયાદ કરી છે.
કેતન ઈનામદારે કર્યો હતો વિરોધ
સાવલીથી કેતન ઈનામદારે વિરોધ કરી રાજીનામું ઈમેઈલ કર્યુ હતુ. ત્યાર બાદ રાજકિય ભૂકંપ સર્જાયો હતો અને રૂપાણી સરકારી ઉંઘ હરામ થઈ ગઈ હતી. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ખુદ ભાજપ પ્રમુખ કેતન ઈનામદારને મનાવવા દોડી ગયા હતા.
મધુ શ્રીવાસ્તવે મીડિયા ગજવ્યું
કેતન ઈનામદાર બાદ, મધુ શ્રીવાસ્તવે પણ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને આ મામલે તેમણે મીડિયા કર્મીઓ સામે બોલાચાલી કરીને અણછાજતું વર્તન પણ કર્યુ હતુ.