ગુજરાતમાં રાજકારણમાં એક વધુ દુખદ સમાચાર આવ્યાં છે. જેમાં પાટણના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય લીલાધર વાઘેલાનું દુઃખદ અવસાન થયું છે. લીલાધર વાઘેલાનું 87 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે રહી ચૂક્યાં છે. આ સાથે તેઓ રાજ્ય સરકારમાં ત્રણ વખત મંત્રી પણ રહ્યાં હતા.
પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય લીલાધર વાઘેલાનું નિધન
લીલાધર વાઘેલાનું 87 વર્ષની જૈફ વયે નિધન
પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા પીઢ રાજકારણી લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન થયું છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. લીલાધર વાઘેલા રાજકારણીની સાથે ઠાકોર સમાજના એક દિગ્ગજ નેતા હતા.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર લીલાઘર વાઘેલા છેલ્લા થોડા દિવસતી બિમાર હતા. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટણન તેમના વતન અએવા પીમ્પળ ગામે કરવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોને મળતી માહિતી મુજબ તેમના પાર્થિવ દેહને તેમના ગામ ખાતે લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લીલાધર વાઘેલાનો જન્મ 17 ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામે થયો હતો. તેઓએ બી.એ., બી.એડ સુધી અભ્યાસકર્યો હતો. લીલાધર વાઘેલા અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ચીમનભાઇ પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા હતા. તેઓ 2004માં શંકરસિંહ વાઘેલા સામેની ચૂંટણી લડતા સૌથી વધારે લાઇમલાઇટમાં આવ્યાં હતા. ત્યારબાદ ભાજપમાં જોડાતાં તેઓને 2014માં પાટણ બેઠક પરથી ટીકિટ આપવામાં આવી હતી. જેમાં લીલાધર વાઘેલાએ ભાવસિંહ રાઠોડને હરાવ્યાં હતા.