શું નેતાઓને કોરોના ફેલાવવાની છૂટ છે? કોરોના મામલે નેતાઓ ખુદ કેમ આટલી ઢીલાશથી વર્તી રહ્યા છે તે અંગે કોઈપણ પક્ષ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગુજરાતમાં ભાજપના C R Patil રાજકિય રેલીઓ અને પ્રવાસે કેટલાય ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં કોરોના ફેલાવ્યો તે જ રીતે મધ્યપ્રદેશમાં કમલનાથની રેલીઓ કોરોના સ્પ્રેડરનું કામ કરી રહ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો
કમલમ બાદ હવે કમલનાથ સુપર સ્પ્રેડર બની શકે છે
પાટીલની રેલીનો વિરોધ કરનાર ગુજરાત કોંગ્રેસ નેતાઓ જુએ
મધ્યપ્રદેશમાં કમલનાથને પણ નથી કોરોનાનો ડર
પાટલીને ગુજરાતમાં કોરોના ફેલાવ્યો
ગુજરાત ભાજપના નવા નવા પ્રદેશ પ્રમુખ C R Patil સૌરાષ્ટ્ર સહિત ગુજરાત આખામાં ફર્યા અને રાજકિય મેળાવડાંઓ કર્યા એટલું જ નહીં ઘણીવાર માસ્ક વગર પણ નજરે ચઢ્યા ત્યારે આ રેલીઓ બાદ ભાજપના અને કમલમના અનેક નેતા-કાર્યકર કોરોનાની ઝપેટમાં આવ્યાં ત્યાં સુધી કે ખુદ C R Patil પણ કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે. આવામાં આ બાબતનો ગાઈ વગાડીને વિરોધ કરનાર કોંગ્રેના નેતાઓને મધ્યપ્રદેશમાં બેફામ યોજાતી રેલી નથી દેખાતી? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
કમલનાથ મધ્યપ્રદેશને મોતના મોમાં ધકેલી રહ્યા છે
રાજકીય પાર્ટીઓ નિયમોની ઘોળીને પી ગઈ છે. કોરોના મહામારી વચ્ચે મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં રેલી નીકળી છે. કોરોનાકાળની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા એટલું જ નહીં પણ હૈયે હૈયુ દળાય એટલી ભીડ જોવા મળી અને ખુદ કમલનાથ પણ માસ્ક વિના નજરે ચડ્યા હતા.