ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલનો ખેડૂતોને પત્ર વાયરલ થઈ રહ્યો છે આ પત્રમાં પાટીલ દ્વારા અભ્યાસ કરાયા વગર જ ટ્વીટર પર પોસ્ટ કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચા જાગી છે. હાલ જ્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે પાટીલે પત્રમાં ગુજરાતના ખેડૂતોની આવક વધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને એ પણ કોઈ પણ જાતના આધાર વગર.
ક્યાંથી લાવ્યા આ ગણિત?
ખેડુતો ઉતર્યા છે સરકારની વિરોધમાં
શું હતુ પોસ્ટમાં ?
હાલ ભારત ભરમાંથી ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધ સાથે રોડ પર ઉતરી આવ્યા છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો બફાટ સામે આવ્યો છે. ખેડૂતોને પત્ર એમ કરીને કરેલી પોસ્ટ C R પાટીલે એ પોસ્ટ બે જ કલાકમાં ડિલિટ કરવી પડી હતી.
શું હતુ પોસ્ટમાં ?
દેશમાં ખેડૂત આંદોલનની આગ લાગી છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સોશિયલ મીડિયામાં ખેડૂતોને નામે એક પત્ર લખી દાવો કર્યો હતો કે 2002માં ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક અંદાજે રૂપિયા 9000 કરોડ હતી, જે આજે વધીને દોઢ લાખ કરોડથી વધુ થઈ છે, એટલે કે ખેડૂતોના ઘામાં મરચું ભભરાવતા પાટીલના આ દાવા મુજબ 18 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક 16 ગણી વધી છે. પત્ર મુજબ ખેડૂતોએ જંગી કમાણી કરી છે. તેમના દાવા મુજબ, ગુજરાતના ખેડૂતો મહિને રૂ. 24,000ની કમાણી કરે છે, જ્યારે કેન્દ્ર સરકારની કૃષિ પોકેટ બુકના આંકડા મુજબ, ગુજરાતના ખેડૂતની માસિક આવક માત્ર રૂ. 3500 જ છે. પાટીલને પોતે બફાટ કર્યાનું ભાન થતાં જ બે કલાકમાં જ પોસ્ટ ડિલિટ કરી હતી.