ગુજરાત ભાજપના અનેક નેતા અને કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલે જઈ ચૂંટણી સબંધિત 5 રાજ્યોમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર
5 રાજ્યોની ચુંટણી માટે ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર
યુ.પી,પંજાબ અને ઉત્તરાખંડમાં ગુજરાતના નેતાઓ મેદાનમાં
70 બેઠકો પર પૂર્વમંત્રીઓનો ડોર ટુ ડોર પ્રચાર
ભાજપે આગામી વિધાનસભાની 5 રાજ્યોની ચુંટણી માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. 5 રાજ્યોમાં સરકાર બનાવવા માટે ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં ગુજરાતના નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે.
પૂર્વ મંત્રીઑ UPમાં ડોર ટુ ડોર પ્રચારમાં
14 પૂર્વ મંત્રીઓને ઉત્તરાખંડ ચૂંટણી પ્રચારમાં મોકલવામાં આવ્યા છે તો, 70 બેઠકો પર પૂર્વમંત્રીઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે..તો UPમાં 165 નેતાઓએ ચૂંટણી વ્યવસ્થા કામગીરી હાથ ધરી છે.UPના અવધ ક્ષેત્રની 70 બેઠકોની વ્યવસ્થા ગુજરાત ભાજપના નેતાઓના શિરે છે.અવધ બેઠકમાં ચુંટણી પ્રચારમાં ગુજરાત ભાજપના પૂર્વ MLA કામ કરી રહ્યા છે.ગુજરાત ભાજપના યુવા મોરચના 164 પ્રદેશ હોદેદારોને ત્રણ જીલ્લાની 16 બેઠકો માટે જવાબદારી સોપાશે. જેમાં પંજાબના જલંધર, હોશિયારપુર અને લુધિયાનાનીમાં ચુંટણી પ્રચાર કરશે.
ઉત્તરાખંડમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ
5 રાજ્યોમાં પ્રભુત્વ મેળવવા ભાજપ પોતાના કાર્યકરોને ગ્રાઉન્ડ લેવલ પર મોકલી રહી છે. ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત ભાજપના નેતાઓ ઉત્તરાખંડમાં પણ પ્રચારમાં જોતરાયા છે. જયદ્રથસિંહ પરમાર, ઈશ્વર પટેલ, આત્મારામ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી, સૌરભ પટેલને ઉત્તરાખંડમાં પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડની 70 બેઠકોનું 14 ફેબ્રુઆરીએ મતદાન છે.
પંજાબમાં ભાજપ યુવા મોરચાને જવાબદારી
જ્યારે પંજાબમાં ભાજપનું કમળ ખિલવવાની જવાબદારી ગુજરાત ભાજપ યુવા મોરચાને સોપવામાં આવી છે. યુવા મોરચાના 150 સભ્યો હાલ જલંધર અને પટિયાલા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ 1-1 તબક્કામાં વોટિંગ
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં વોટિંગ થશે.
મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે મણિપુરમાં બે તબક્કાનું મતદાન યોજાશે. મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા અને 3 માર્ચે એમ બે તબક્કામાં મતદાન યોજાશે.
10 માર્ચે તમામ વિધાનસભાના પરિણામ
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે 10 માર્ચે તમામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરી દેવાશે.