ભાવનગરના 26 વર્ષના આશાસ્પદ પોલીસ યુવાને મોતને વહાલુ કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે. યુવાનના આપઘાતને પગલે પરિવાર સહિતના લોકોનું આક્રંદ દિલને હચમચાવી દે તેવુ છે. યુવાનને એવું તે શું દુખ પડયુ હશે કે, તેણે અંતિમ પગલુ ભર્યુ હશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
મૂળ ભાવનગરના યુવાને વહોર્યો આપઘાત
અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશન પર નિભાવતો હતો ફરજ
આપઘાતનું કારણ અકબંધ
એક આશાસ્પદ પોલીસયુવાને ઝાડ પર લટકીને ગળફાંલો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. એવું તે શું દુખ પડ્યુ હશે કે આ યુવાને આમ મોતને વહાલુ કરી લીધુ હશે તે વિશે પણ ચર્ચાઓ ઉઠી હતી.
અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીના આપઘાતની ઘટના સામે આવી છે. 26 વર્ષીય પોલીસકર્મી અશોક છેલણાનો આપઘાત પોલીસ બેડા સહિતના લોકોને આંચકો આપી ગયો છે. અશોકે સિંહોરના ડુંગરની પાછળ ઝાડ પર લટકી અંતિમ પગલુ ભર્યુ હતુ. મુળ સિંહોરનો આ પોલીસ યુવાન હાલ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. હજુ સુધી આપઘાત પાછળનું કારણ અકબંધ છે.