ભાવનગરમાં રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. પાલિતાણામાં જૂની ધર્ણશાળાનું સમારકામ ચાલતું હતુ જ્યાં દિવાલ ધરાશાયી થતા 2ના ઘટનાસ્થળે મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ છયા છે.
જૂની ધર્મશાળા તોડવાનું કામ શરૂ હતું ત્યારે બની ઘટના
કાટમાળ ખસેડવાનું કામ શરૂ કરાયું
ભાવનગરના પાલીતાણામાં ધર્મશાળાની દીવાલ ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. દીવાલ ધરાશાઈ થતા 2 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. તળેટી રોડ પર આવેલી જૂની ધર્મશાળાને તોડવાની કામગીરી ચાલુ હતી ત્યારે એકાએક દીવાલ તૂટતા પાંચ લોકો દટાયા હતા.
તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ
આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથધરવામાં આવી છે.