ભરૂચની ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ મામલામાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા
ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ મામલો
3 લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળ્યા
બ્લાસ્ટ બાદ હજુ પણ 4 લોકો લાપતા
ભરૂચની ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ મામલામાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે જ્યારે બ્લાસ્ટ બાદ હજુ પણ 4 લોકો લાપતા છે. GIDCની UPL 5માં થયો બ્લાસ્ટ હતો. આ ગોઝારા બ્લાસ્ટમાં 25 જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હતા. ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગઈ કાલે ઘટી હતી દૂર્ઘટના
ગુજરાતના ભરુચ જિલ્લામાં મંગળવારની સવાર અમંગળ લઈને આવી હતી. અહીંની ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની યૂપીએલ - 5ના પ્લાન્ટમાં ધમાકા સાથે આગ લાગી હતી. આ ધમાકા અને આગની ઝપેટમાં 25 લોકો ઘાયલ થયા છે. આ ઘટના વહેલી સવારે 2 વાગે બની હતી.
12 કિમી સુધી અવાજ સંભળાયો
ઘટનાની જામ થતાં જ ઘટના સ્થળે અનેક ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ રહી છે. કંપનીના સીએમ નામના પ્લાન્ટમાં આ દુર્ઘટના બની હતી. ધમાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના 12 કિમી સુધી અવાજ સંભળાયો અને ભૂકંપ જેવું અનુભવાયું હતું. ગામના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
24 કર્મચારીઓ થયા ઘાયલ
યૂપીએલની કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાથી લગભગ 25 કર્મચારીઓ ઘાયલ થયા હતી. તેમને ભરુચ અને વડોદરાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતી. બ્લાસ્ટ કયા કારણે થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ રહી છે. આગના કારણે ચારે તરફ ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતી.
પહેલા પણ બની હતી ભરૂચમાં આવી ઘટના
ગયા વર્ષે જૂનમાં ભરુચની એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ સ્ટોરેજ ટેંકમાં થયો હતો. પટેલ ગ્રૂપની આ કંપનીમાં બ્લાસ્ટના કારણે 10 લોકોના મોત થયા હતા અને 6 લોકોના મૃતદેહ તો બ્લાસ્ટની જગ્યાએ જ મળ્યા હતા. અન્ય 4ના સારવાર સમયે મોત થયા હતા.અને સાથે જ 77 લોકો ઘાયલ થયા હતા.