આજે ગુજરાતમાંથી બે લોકનેતાઓએ વિદાય લીધી. એક માધવસિંહ સોલંકી અને ખેડૂતોના મસીહા જીવણ પટેલે. PM મોદી, આનંદીબેન પટેલ, CM રૂપાણી સહિતના નેતાઓએ તેમને ભારે હૈયે વિદાય આપી હતી.
કિસાન સંઘના રાષ્ટ્રીય નેતા જીવણ પટેલનું નિધન
ખેડૂતોના માર્ગદર્શન જીવણ પટેલનું નિધન
CM રૂપાણી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
ખેડૂતોના મસીહા અને જીવણદાદા’ તરીકે જાણીતા જીવણભાઇ પટેલનું આજે નિધન થયું છે. જીવણભાઇ પટેલે આજે સવારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર બાદ PM Modi ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સહિતના નેતાઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.
PM Modiએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ
ભારતીય કિસાન સંઘના આગેવાન શ્રી જીવણદાદાના અવસાનથી દુ:ખ થયું. ખેડૂતોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે સતત ચાર દસકા કરતા વધુ સમયથી સક્રિય તેઓએ ગુજરાતના ખૂણે ખૂણાનો પ્રવાસ કર્યો હતો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.
ભારતીય કિસાન સંઘના આગેવાન શ્રી જીવણદાદાના અવસાનથી દુ:ખ થયું. ખેડૂતોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે સતત ચાર દસકા કરતા વધુ સમયથી સક્રિય તેઓએ ગુજરાતના ખૂણે ખૂણાનો પ્રવાસ કર્યો હતો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.....
કિસાન સંઘના રાષ્ટ્રીય નેતા જીવણ પટેલનું નિધન થયું છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે બલરામ ભવન પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સ્વર્ગિય જીવણ પટેલે ખેડૂતો માટે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું.
ગુજરાત રાજ્યમાં ખેડૂતોના તથા ખેતીના હિત માટે મજબૂત સંગઠનનો પાયો નાખનાર ભારતીય કિસાન સંઘના જીવણભાઈ પટેલ (જીવણ દાદા) ના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે તેમજ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ૐ શાંતિ..
ભારતીય કિસાનસંઘ સંઘનાં મોભી, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ એવા આદરણીય જીવણદાદા નાં દેહાવસાન નાં દુ:ખદ સમાચાર થી અત્યંત શોકની લાગણી અનુભવું છું તથા શ્રદ્ધાસુમન અર્પણ કરુંછું . સ્વ.જીવણદાદા નાં અવસાન થી સમગ્ર કૃષિજગત ની અપૂરણીય ક્ષતિ થઇ છે . રા.સ્વ.સંઘ નાં સંસ્કાર થી રંગાયેલ નિસ્વાર્થ કર્મયોગીનાં દિવંગત આત્મા ની શાશ્વત શાંતિ અને મોક્ષ માટે પરમાત્મા ને અંતરમન થી પ્રાર્થના તથા શોક સંતપ્ત પરિજનો આ દુ:ખ સહન કરવા ની શક્તિ આપે એજ પ્રભુપ્રાર્થના.
પ્રદિપસિંહ વાઘેલાએ પણ આપી શ્રદ્ધાંજલિ
ખેડૂતોના ઉત્થાન હેતુ જીવન સમર્પિત કરનાર ભારતીય કિસાન સંઘના નેતા શ્રી જીવણભાઈ પટેલ (જીવણ દાદા)ના નિધનનાં દુ:ખદ સમાચાર મળ્યા. ઈશ્વર તેમની દિવંગત આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં આઘાત સહવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.