ગુજરાતમાં ભારત બંધની મીશ્ર અસર જોવા મળી રહી હતી. અમદાવાદમાં સીટી વિસ્તારે સજ્જડ બંધ પાડ્યો હતો જ્યારે સુરતમાં મદિના મસ્જિદ પાસે પથ્થરમારો થયો હતો. બાવળામાં આગચંપીના બનાવો બન્યા હતા. ભાવનગરમાં વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. જો કે પોલીસે સમગ્ર પરિસ્થિતિ ઉપર અત્યારે તો કાબુ મેળવી રાખ્યો છે.
બાવળામાં ટાયર સળાગીવ વિરોધ
સુરતમાં મદીના મસ્જીદ પર અજાણ્યા શખ્સે પથ્થર ફેંકતા મામલો ગરમાયો
ભાવનગરમાં વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત
દિલ્લીના શાહીન બાગમાં CAAને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દિલ્લી પહોંચ્યા છે. અને શાહીન બાગમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા શાહીન બાગમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
ગાંધીરોડ અને રિલીફ રોડ સજ્જડ બંધ
CAA અને NRCના વિરોધમાં આજે ભારત બધનું એલાન છે. જેને પગલે ગાંધીરોડ અને રિલીફ રોડ પર દુકાનો બંધ છે. 60 થી 100 દુકાનના વેપારીઓએ સ્વંયભુ બંધ પાળ્યું છે. દુકાનો પર NRC અને CAAના વિરુદ્ધના બોર્ડ લાગ્યા છે. રિલીફ રોડ પર આવેલા શૂઝ માર્કેટ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.
બાવળામાં ટાયર સળગાવ્યા
CAAને લઈને અમદાવાદના બાવળામાં વિરોધ જોવા મળી રહ્યો છે. બાવળામાં કેરાલા GIDC નજીક લોકોનો વિરોધ કરી રહ્યા હતા જેમાં રોડ પર ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો જો કે પોલીસે મામલો થાળે પાડી દીધો હતો.
સુરતમાં પથ્થરમારાની ઘટના
સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિએ પથ્થર ફેંકતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. તો પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા છે. પરિસ્થિતિ બેકાબુ થાય તે પહેલા પોલીસ કાફલો ઘટનાસ્થેલે પહોંચી ગઇ છે. મદીના મસ્જીદ પર અજાણ્યા શખ્સે પથ્થર ફેંકતા મામલો ગરમાયો હતો
ભાવનગરમાં વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત
CAAના વિરોધમાં ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું છે ત્યારે ભાવનગરમાં પોલીસે બહુજન મોરચાના કાર્યકરોની અટકાયત કરી છે. મંજૂરી વગર દેખાવો કરી રહ્યા હતા જેને પગલે તેમની અટકાયત કરવામાં આવી છે. આ વિરોધ અને સુત્રોચ્ચાર કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
ભરૂચ APMCએ પણ સજ્જડ બંધ
CAA અને NRCને લઇ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે બંધની અસર ભરૂચમાં જોવા મળી છે. ભરૂચ જિલ્લાના બજારમાં બંધની અસર જોવા મળી છે. ટંકારિયા સહિત આસપાસના ગામો અને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ બંધની અસર જોવા મળી છે. તો ભરૂચ APMCએ પણ સજ્જડ બંધ છે.
વડોદરામાં બંધની અસર નહિવત
CAAના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું છે. વિવિધ સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઇ વડોદરામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માંડવી, તાંદળજા, ફતેપુરા, પાણી ગેટ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે વડોદરામાં બંધની અસર નહિવત છે.