જન્માષ્ટમી તહેવારની સીઝન દરમિયાન કોરોના કેસમા ઘટાડો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 367 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 367 કેસ નોંધાયા
552 દર્દીઓ કોરોના મુક્ત થયા
એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજારને પાર
એક તરફ જન્માષ્ટમી સહીતના તહેવારોની ઉજવણીની મોસમ ચાલી રહી છે. તેવી સ્થિતિમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા રાહતરુપ જોવા મળી રહી છે પરંતુ કોરોના વકરે નહિ તે માટે તહેવારોમાં તકેદારી રાખવી જરૂરી બની છે.રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાહાકાર માચાવતો કોરોના હોવે શાંત પડતો હોય તેવું આરોગ્ય તંત્રના આંકડા પરથી લાગી રહ્યું છે. જેમાં આરોગ્ય તંત્ર દવારા જાહેર કરવામાં આવેલ કોરોના કેસમા છેલા 24 કલાક માં 367 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.જેની સામે 552 દર્દીઓએ કોરોનાને હરાવતા તેઓ કોરોના મુક્ત થયા હોવાનું જાહેર થયું છે.
અમદાવાદમાં 138 લોકોને કોરોના વળગ્યો
બીજી તરફ આજે મહાનગરોમાં નોંધાયેલા કોરના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આજે 138 લોકોને કોરોના વળગ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે વડોદરામાં 37 લોકો અને રાજકોટમાં 21 તથા સુરતમાં 16 અને ગાંધીનગરમાં 9 લોકો કોરોના ઝપટે ચડ્યા છે. તે જ રીતે જામનગરમાં 8 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. વધુમાં જિલ્લા વાર કોરોના કેસની વાત કરવામાં આવે તો વલસાડમાં 18, કચ્છમાં 13, સુરતમાં 12 નવસારીમાં 9, રાજકોટમાં 9, ગાંધીનગરમાં 7 અને વડોદરામાં 7 કેસ સામે આવ્યા છે. તેજ રીતે અમરેલી, આણંદ અને પંચમહાલમાં 6 કેસ નોંધાયા છે. અને ભરુચ, મહેસાણા, અને સુરેન્દ્રનગરમાં 5 કેસ સામે આવ્યા છે.
17 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર હેઠળ
હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3012 છે જેની સામે 17 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે અને 2995 દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં કોરોના સામે આજે 3,09,112 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા.