વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિમિટેડની મુશ્કેલી વધી છે. રુ. 678 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં CBI એ વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિમિટેડ તથા તેના ડિરેક્ટર્સની સામે એફઆઈઆર દાખલ કરી છે.
678 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં કાર્યવાહી
સીબીઆઈએ વિમલ ઓઈલ અને તેના ડિરેક્ટર્સેની સામે એફઆઈઆર દાખલ કરી
બેન્ક ઓફ ઈન્ડીયા અને બીજી 8 બેન્કોના સમૂહમાંથી 678 કરોડની લોન લીધી
વિમલ ઓઈલે 678 કરોડની લોન ન ચુકવી
બેન્ક ઓફ ઈન્ડીયા અને બીજી 8 બેન્કોના સમૂહે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવીને એવો આક્ષેપ કર્યો હતો કે વિમલ ઓઈલ અને ફૂડ લિમિટેડ તથા તેના ડિરેક્ટર્સ જયેશભાઈ ચંદુભાઈ પટેલ, મુકેશકુમાર નારાયણભાઈ પટેલ, મોના જિગ્નેશ આચાર્ય તથા તથા બીજા અજાણ્યા લોકોએ ભેગા મળીને 698.93 કરોડનો બેન્ક ફ્રોડ આચર્યો છે. એવો પણ આક્ષેપ કરાયો છે કે વિમલ ઓઈલ અને ફૂડ લિમિટેડ તથા તેના ડિરેક્ટર્સે 2014 થી 2017 સુધી બેન્ક ઓફ ઈન્ડીયા તથા બીજી 8 સભ્ય બેન્કની લોન લીધી હતી અને આ રીતે બેન્કોને રુ. 698.93 કરોડનું નુકશાન થયું છે.
આ કેસમાં 21.05.21 ના દિવસે ભોપાલની સીબીઆઈ ઓફિસમાં લેખિત ફરિયાદ કરાઈ છે. તથા અમદાવાદ ખાતેની બેન્ક ઓફ ઈન્ડીયાના ડીજીએેમ અજેયા ઠાકુરને આ ફરિયાદની કોપી મળી છે.
શું છે મામલો
બેન્ક ઓફ ઈન્ડીયા અને બીજી 8 બેન્કના આરોપ અનુસાર, વિમલ ફૂડ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ જયેશભાઈ ચંદુભાઈ પટેલ, મુકેશકુમાર નારાયણભાઈ પટેલ, મોના જિગ્નેશ આચાર્ય તથી બીજા શખ્સોએ ભેગા મળીને 2014 થી 2017 સુધી બેન્કોમાંથી રુ. 678.93 કરોડની બેન્ક લોન લીધી હતી જોકે કંપની અને તેના ડિરેક્ટર્સ આ લોન ચુકવી શકવામાં કસૂરવાર સાબિત થયા હતા. તેથી બેન્કોએ સીબીઆઈમાં લેખિત ફરિયાદ કરી હતી અને તે પ્રમાણે હવે સીબીઆઈએ કંપની અને તેના ડિરેક્ટર્સ સામે એફઆઈઆર દાખલ કરી છે.