કાલુપરમા બી.એડના પુસ્તકમાં 'ગામ હોય ત્યાં...' નામની કહેવતને પગલે ઘણાસાણ મચી ગયુ છે. આ જાતિવિષયક કહેવત બદલ નિરવ પ્રકાશનના માલિક અને લેખક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કોણે નોંધાવી ફરિયાદ
કહેવત 'ગામ હોય ત્યાં...' ને કારણે વિવાદ
એટ્રોસીટી એક્ટ અંતગર્ત કરાઈ ફરિયાદ
કાલુપુર પોલીસ સ્ટેશનમાં નિરવ પ્રકાશનના નિરવ શાહ અને લેખક નટુભાઇ રાવલ તરફથી બહાર પાડવામાં આવેલા બી.એડના પુસ્તકમાં જાતિવિષયક શબ્દ કેહવત માં પ્રયોગ કરીને સમાજની લાગણી દુભાવી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.
કોણે નોંધાવી ફરિયાદ
બોટાદના કિરણ સોલંકીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ જરૂરિયાતમંદ લોકોને પુસ્તકો આપીને સમાજ સેવા કરે છે. થોડા દિવસ પહેલા તેમની પાસે બી.એડ.ના પુસ્તકની જરૂરિયાત હતી ત્યારે તેમણે 4થી નવેમ્બર 2019ના રોજ તેમના પત્ની સાથે ગાંધીબ્રિજના ફર્નાન્ડિઝ બ્રીજ પાસે કમલેશ બુક સેન્ટરમાંથી ગુજરાત યુનિવર્સીટીના ગુજરાતી માધ્યમના બીએડના પ્રથમ સેમેસ્ટરના પુસ્તકોની ખરીદી કરી હતી.
કહેવત 'ગામ હોય ત્યાં...' ને કારણે વિવાદ
આ પુસ્તકમાં દર્શાવેલા રૂઢિપ્રયોગો અને કહેવતો તથા વાક્યપ્રયોગો તેમના ધ્યાન પર આવ્યા હતા. પુસ્તકના પાના નંબર 219 પર વિવિધ કહેવતો અર્થ સાથે લખી હતી. જેમાં 19 નંબરની કહેવત 'ગામ હોય ત્યાં...' તેવી હતી. પુસ્તકમાં કહેવતનો અર્થ લખ્યો હતો કે, ગામમાં બધા માણસો સારા ન હોય, કોઇ ખરાબ પણ હોય. આ કહેવત લેખક નટુભાઇ રાવલ તરફથી લખવામાં આવી હતી.
એટ્રોસીટી એક્ટ અંતગર્ત કરાઈ ફરિયાદ
કિરણભાઇએ ફરિયાદ નોંધાવી છે કે, સમાજને હીન દર્શાવવા માટે આ શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને અનુસૂચિત જાતિના સમાજના લોકને નીચું બતાવવાના હોવાથી તેમણે નિરવ પ્રકાશનના નિરવ શાહ અને લેખક નટુભાઇ રાવલ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એમેડ એક્ટ 3(1)R, અનુ. જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)U મુજબ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે તમામ પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે