ધંધુકા કિશન ભરવાડની હત્યા કેસમાં ATSને વધુ એક સફળતા મળી છે. ATSએ દિલ્હીના મૌલાના કમર ગનીની ધરપકડ કરી છે.
ધંધુકાના કિશન ભરવાડની હત્યા કેસ
ATSએ દિલ્લીના મૌલવીની ધરપકડ
અત્યાર સુધી કુલ 6 આરોપી ઝડપાયા
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ATSને સફળતા
ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. બીજી તરફ ગુજરાત ATSએ દિલ્હીના મૌલવી મૌલાના કમર ગનીની દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ હત્યા કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ થઈ છે.
ગત રોજ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ગઇકાલ સુધીમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી. શનિવારે મુખ્ય સૂત્રધાર મૌલવી ઐયુબની ધરપકડ કરાઇ છે. તો મૌલવીને હથિયાર મોકલનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના મિતાણા પાસેથી અજીમ સમાની ધરપકડ કરાઇ છે, તેમજ મોરબી પોલીસે અજીમના ભાઇ વસીમની પણ ધરપકડ કરી છે.
કિશન હત્યા કેસની તપાસ ATSને તપાસ સોંપાઇ છે.
મૌલવી ઐયુબની પૂછપરછમાં ચોંકાવાનારા ખુલાસા થયા છે. હત્યાનો પ્લાન જમાલપુર મસ્જીદમાં બનાવ્યો હતો. કિશન હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મૌલાનાના તાર પાકિસ્તાન સ્થિત સંગઠનો સાથે જોડાયેલા છે. દિલ્લીના મૌલવી કમલ ઘની ઉસ્માનીનું નામ પણ સામે આવ્યું હતું, શબ્બીર ચૌપડાની મુલાકાત અમદાવાદના મૌલવી સાથે કરાવી હતી. કિશન હત્યા કેસની તપાસ ATSને તપાસ સોંપાઇ છે. પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરાશે. સોશિયલ મીડિયા અને મોબાઈલ ડેટાની પણ તપાસ કરાશે. અમદાવાદ પોલીસે સર મુબારક મસ્જીદ પાછળથી કિશનની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ જપ્ત કરી છે.