ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક પ્રવર્તી રહ્યો છે આ અંગે વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા આંકડા ચોંકાવનારા છે.
વિધાનસભામાં સરકારે આપી માહિતી
5 વર્ષમાં વ્યજખોરોના ત્રાસથી 178 આપઘાત
વ્યાજખોરોનું સૌથી વધુ દૂષણ રાજકોટમાં
અવારનવાર વ્યાજખોરોના આતંકથી વ્યક્તિએ મોત વહાલુ કરીને આપઘાત કર્યો હોવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ અંગેના સરકારી આંકડા ચોંકાવનારા છે.
178 લોકોના મોત
રાજ્યમાં વધી રહેલા વ્યાજખોરોના ત્રાસ વચ્ચે રાજ્ય સરકારે વિધાનસભામાં લેખિતમાં માહિતી આપી છે.. સરકારે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં વ્યાજખોરોના ત્રાસથી 178 લોકોના મૃત્યુ થયા છે.
કેટલાને બચાવી લેવાયા?
5 વર્ષમાં આપઘાતનો પ્રયાસ કરનારા 30 લોકોને બચાવાયા છે.જેમાં સૌથી વધુ દૂષણ રાજકોટમાં છે. જ્યાં વ્યાજખોરોથી કંટાળીને 30 લોકોએ આપઘાત કર્યો છે. અમદાવાદમાં 17 લોકોએ જીવન ટૂંકાવ્યું
કેટલા લોકોની કરાઈ ધરપકડ
છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 125 લોકોએ આત્મહત્યા કરી છે. અને છેલ્લા 5 વર્ષમાં પોલીસે 731 વ્યાજખોરોની ધરપકડ કરી છે.