ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સામાજિક આગેવાનો પોતાના સમાજને ટિકિટ મળે તે માટે સોગઠાં અત્યારથી જ ગોઠવી રહ્યા છે
ચૂંટણી પહેલા સામાજિક રાજકારણ
ક્ષત્રિય સમાજે ટિકિટની માંગ કરી
25થી 30 બેઠકો પર ટિકિટ માંગી
ગુજરાત વિધાનસભા ચૂંટણી દર વખતે પ્રભુત્વ ધરાવતા સમાજની આસપાસ લડાય છે. પાટીદાર, કોળી, ઠાકોર કે અન્ય કોઈ પણ સમાજ જેના મત વધારે તેણે વધુ ટિકિટની ફોર્મ્યુલા દરેક પક્ષ અપનાવતું હોય છે. પણ ચૂંટણીમાં પોતાના સમાજના સ્તંભ વધુ મજબૂત કરવા સામાજિક આગેવાનો પક્ષ પર પ્રેશર પોલિટીક્સ કરતાં હોય છે. આજે પહેલા પાટીદાર સમાજના આગેવાન બાદ ક્ષત્રિય સમાજે પણ ચૂંટણીમાં સામર્થ્ય પ્રમાણે ટિકિટ આપવાની માંગ અત્યારથી તેજ કરી છે.
25થી 30 બેઠકો પર ક્ષત્રિય સમાજને ટિકિટ મળે: કરણી સેના
વિધાનસભાની ચૂંટણીને લઇને હવે સામાજિક રાજકારણની શરૂઆત થઇ ગઇ છે.પહેલા પાટીદાર સમાજ અને હવે ક્ષત્રિય સમાજે રાજકીય પ્રતિનિધિત્વની માંગ કરી છે. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી 25થી 30 બેઠકો પર વિવિધ પક્ષો પાસે ટિકિટ ની માંગ કરી છે.
50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે: જયરામ પટેલ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સામાજિક સંસ્થાઓ પણ સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માગ ઉઠી છે. ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલએ પત્રકાર પરિષદ જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું.
ગુજરાતમાં જાતિવાદી સમીકરણ ( અંદાજિત )
ઠાકોર
16 ટકા
કોળી
14 ટકા
પટેલ
12 ટકા
ક્ષત્રિય
06 ટકા
આહિર
04 ટકા
દલિત
08 ટકા
આદિવાસી
15 ટકા
અન્ય ઓબીસી
09 ટકા
અન્ય સવર્ણ
07 ટકા
મુસ્લિમ
09 ટકા
રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદારને મૂકો: જયરામ પટેલ
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે એક પત્રકાર પરિષદમાં મોટો દાવો કર્યો છે. જયરામ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું. જોકે તેમના આ દાવામાં સૌથી મહત્વનો મુદ્દો રાજકોટ પશ્ચિમ બેઠકોનો રહ્યો હતો. જયરામ પટેલે કહ્યું કે, રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ. આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે.
લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર: જયરામ પટેલ
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પત્રકાર પરિષદમાં આગામી ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. જયરામ પટેલે ઉમેર્યું હતું કે, આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ તેવુ પણ જણાવ્યું હતું.