ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીઓ સમાજના સમીકરણ બેસાડવાની તૈયારીમાં, ભાજપ કોંગ્રેસના હુકમના એક્કા કોણ ?, આપ કોનું ગણિત બગાડશે?
જ્ઞાતિ ફેક્ટર પર વિશેષ ભાર
કોંગ્રેસ ભાજપના કયા ચહેરા પાડી શકે મોટો દાવ
ગુજરાતમાં જાતિવાદી સમીકરણના સોગઠાં
ભાજપ 2022માં 150 સીટો મેળવીને નવો રેકોર્ડ બનાવવા માગે છે. પરંતુ આમ બને તે પહેલા જ કોંગ્રેસે OBC-SC-STનો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે.. બીજી તરફ ભાજપે સરકારમાં નવા ચહેરા ઉતારી નવી ટીમ નવા જુસ્સા સાથે વિધાનસભા 2022ની ચૂંટણી માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. ભાજપ પાસે પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો છે જે ગમે તે પાર્ટીના ગમે તેવા સમીરકણને ચારોખાને ચિત્ત કરી શકે છે. હાલ તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણ ફિટ બેસાડવા તમામ તૈયારીઑ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં કઈ જ્ઞાતિનું કેટલું પ્રભુત્વ છે તેના પર નજર કરીએ તો..
ગુજરાતમાં જાતિવાદી સમીકરણ ( અંદાજિત )
ઠાકોર
16 ટકા
કોળી
14 ટકા
પટેલ
12 ટકા
ક્ષત્રિય
06 ટકા
આહિર
04 ટકા
દલિત
08 ટકા
આદિવાસી
15 ટકા
અન્ય ઓબીસી
09 ટકા
અન્ય સવર્ણ
07 ટકા
મુસ્લિમ
09 ટકા
ભાજપના હુકમના એક્કા
સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ પાટીદાર સમાજમાંથી આવે છે અને ભાજપે પટેલ સમાજના સાફ ઈમેજ ધરાવતા ચહેરાને મુખ્યમંત્રી પદની કમાન સોંપી મોટો દાવ ખેલી પોતાની વૉટબેંક મજબૂત કરી છે. બીજી તરફ મંત્રી મંડળમાં તમામ જ્ઞાતિવાદ સમીકરણ આધારિત નેતાઓને બેસાડી ચૂંટણીનું સમીકરણ વ્યવસ્થિત રીતે બેસાડયું છે. સાથે ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રણનીતિથી પેજ પ્રમુખ સંગઠન અને કાર્યકર્તાને વધારે પ્રભુત્વવાળી પહેલ પણ અન્ય પાર્ટીઓનું ગણિત બગાડી શકે છે. ભાજપના મંત્રી મંડળમાં જો જ્ઞાતિ સંખ્યા સંખ્યાની વાત કરીએ તો પટેલ - 7, ઓબીસી - 5, ક્ષત્રિય -3, બ્રાહ્મણ - 2 , દલિત - 2, આદિવાસી -3, જૈન -1 ચહેરાને સ્થાન આપી ભાજપે પહેલાથી મોટો દાવ રચી નાખ્યો છે. સાથે સંગઠનમાં પણ સમાજ આધારિત જાગીગત ફેક્ટર રચી ભાજપે ચૂંટણીમાં કેસરીયો લહેરવાની હામ ભરી દીધી છે.
આ સિવાય ઠાકોર સમાજના મોટા નેતા તરીકે દિલીપ ઠાકોર સિવાય કોંગ્રેસમાંથી કાંગરું ખેરવી અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ બંને નેતાઓ ઠાકોર સમાજના કોંગ્રેસના સમીકરણ પર પાણી ફેરવી શકે છે. આદિવાસી મંત્રી નિમિષા સુથાર તેમજ આગેવાન મનુસખ રાઠવા પણ આદિવાસી સમાજ પર સારી પકડ ધરાવે છે જે ભાજપને મોટો ફાયદો કરાવી શકે છે. આ સિવાય ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ઘણા મોટા ગજાના નેતા જેવા કે કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને ભાજપમાં ભેળવી પહેલાથી જ આ પડખુ ભાજપે મજબૂત કરી નાખ્યું છે.
કોંગ્રેસના હુકમના ત્રણ એક્કા
જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને જીગ્નેશ મેવાણી આ ત્રણ ચહેરા ગુજરાતની સૌથી મોટી વોટબેંક ધરાવી જ્ઞાતિઓ પર અસર પાડી શકે છે..એટલે કે, ભાજપ માટે કોંગ્રેસની આ ટીમ જો સારું પ્રદર્શન કરી શકે તો. 2022નો વિધાનસભા જંગ કાંટાની ટકકરનો રહેશે.
કોંગ્રેસના પટેલ ફેક્ટરને પોતાની તરફ કરવાના પ્રયાસ
ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત એટલા માટે ચર્ચાનો વિષય બની છે કારણ કે, શુક્રવારે જ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. અને સુખરામ રાઠવાને વિપક્ષ નેતા..આમ કાોંગ્રેસે ઓબીસી અને એસટી વોટબેંકને પોતાના તરફી કરવાનો દાવ ખેલ્યો. અને હવે બીજા જ દિવસે ભરતસિંહ સોલંકી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક માટે ખોડલધામ પહોંચી ગયા હતા.. એટલું જ નહીં આ બેઠકથી ગીતા પટેલ અને મહેશ રાજપૂત સહિતના કાોંગ્રેસના નેતાઓને પણ દૂર રાખવામાં આવ્યા. ત્યારે ચોક્કસ પણે આ બેઠક 2022ની ચૂંટણીને લઈને પાટીદાર મતોને કાોંગ્રેસ તરફી લાવવા માટેનો પ્રયાસ હતો.
નરેશ પટેલે રાજકારણમાં જવાના આપ્યા સંકેત
પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.
આપ કોનું ગણિત બગાડશે?
કોંગ્રેસ ઓબીસી કાર્ડની સાથે-સાથે ખામ થિયરીની દીશામાં આગળ વધી રહી છે.. વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. ત્યારે ફરી એક વખત આ દિશા કોંગ્રેસની દશા બગાડશે કે સુધારશે તે જોવું રહ્યું. આપ પાર્ટીની એન્ટ્રીથી કોંગસના વોટ તૂટે તેવી પૂરેપૂરી શકયતા છે સાથે જ ભાજપનો વિકલ્પ શોધી રહેલા મતદારોને આપ વિકલ્પ મળતા ભાજપને પણ નુકસાન જવાની ભીતિ છે.