ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે સિટીંગ ધારાસભ્યમાંથી ચૂંટણી લડનાર ભાજપના 4 સિટીંગ ધારાસભ્યો ધારાસભ્ય પદેથી રાજીનામા આપશે. જેમાં બનાસકાંઠાના પરબત પટેલ, પાટણના ભરત ડાભી, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ અને પંચમહાલના રતનસિંહ રાઠોડ ધારાસભ્ય પદેથી રાજીનામા આપશે. સાંસદ તરીકે શપથ લેતા પહેલા વિધાનસભાના સભ્યપદેથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપશે.
ગુજરાતમાં ઓક્ટોબર માસમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી
ગુજરાતમાં ફરી એકવાર ઓક્ટોબરમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. થરાદ, અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે. ભાજપના 4 ધારાસભ્યો હવે સાંસદ બની જતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય પરબત પટેલ, રતનસિંહ રાઠોડ, ભરતસિંહ ડાભી અને એચ. એસ પટેલ રાજીનામું આપશે. બે ધારાસભ્યના કેસ કોર્ટમાં પેડિંગ છે. જો કોર્ટ ચુકાદો આપે તો અન્ય બે ધારાસભ્યની પેટાચૂંટણી યોજાઇ શકે છે. ગુજરાતમાં 6 ધારાસભ્યોની ચૂંટણી યોજાઇ શકે છે. ભગવાન બારડ અને પબુભા માણેકનો કેસ કોર્ટમાં પેડિંગ છે.