અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની છે. ગાંધીનગર ભલે ગુજરાતનું પાટનગર હોય પણ ગુજરાતની વાત આવે અને એમાં અમદાવાદનો ઉલ્લેખ ન થાય તોજ નવાઈ. હેરિટેજ સિટી અમદાવાદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી હોવાનું ખુદ રૂપાણી સરકારે વિધાનસભામાં સ્વીકાર્યુ છે.
ગરીબ પરિવારોની સંખ્યા વધી
ગરીબ પરિવારની સંખ્યામાં 497 વધારો થયો
ગુજરાત સરકારે આપ્યા આંકડા
ગઈકાલે નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થાય તે પહેલા હાથ ધરાયેલી પ્રશ્નોત્તરીમાં અમદાવાદમાં ગરીબ પરિવારની સંખ્યા વધી હોવાનું બહાર આવ્યું છે. ખુદ ગુજરાત સરકારે જ આ આંકડા આપ્યા હતા.
ગરીબ પરિવારની સંખ્યામાં 497 વધારો થયો
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ગરીબ પરિવારની સંખ્યામાં 497 વધારો થયો હોવાનું રાજ્ય સરકારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખના એક પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું હતું. જોકે, અતિગરીબ પરિવારની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં 314 પરિવારનો ઘટાડો થયો છે.
ગરીબ પરિવારોની સંખ્યા વધી
અમદાવાદમાં છેલ્લાં બે વર્ષ એટલે વર્ષ 2018માં 247 અને વર્ષ 2019માં 250 મળીને કુલ 497 ગરીબ પરિવારની સંખ્યા વધી છે. જ્યારે અતિગરીબ પરિવારની સંખ્યા વર્ષ 2018માં 170 અને વર્ષ 2019માં 144 મળીને કુલ 314ની ઘટી છે.