ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં અમિત ચાવડાએ કોરોના, રોજગારી અને ભરતી મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી.
ગૃહમાં અમિત ચાવડાના કોરોના મુદ્દે સરકાર પર આક્ષેપો
મહામારી સમયે ભારતમાં 2 પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા: ચાવડા
તમારા વહીવટી તંત્રએ રાજકીય પક્ષો સાથે ભેદભાવ કર્યો: ચાવડા
ગૃહમાં અમિત ચાવડાએ કોરોનાને લઇ સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, લોકોમાં જાગૃત્તિના બદલે નમસ્તે ટ્રમ્પના તાયફાઓ કર્યા હતા. સરકારના તાયફાઓના કારણે કોરોનાના કેસો વધ્યા છે. એટલું જ નહીં કોરોનાને અટકાવવા મોટા પાયે ટેસ્ટિંગ ન થયુ અને ટેસ્ટિંગ પર ભાર મુકનાર અધિકારીને સાઇડ પોસ્ટિંગ આપી દેવાયુ છે.
ભાજપ પક્ષના અમુક નેતાઓને મંત્રી બનવું છે
અમિત ચાવડાએ સરકારને આડેહાથ લેતા કહ્યું કે, તમારા વહીવટી તંત્ર એ રાજકિયપક્ષો સાથે ભેદભાવ રાખવા માં આવ્યો છે. કોરોના મહામારી દરમ્યાન ભારત માં બે પ્રકાર ના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં બેઠેલા લોકો ને મંત્રી પદ જોઈએ છે. અહીં બેઠેલા કેટલાક લોકો ને પ્રમોશન જોઈએ છે. અહીં જોર જોર થી જે લોકો બોલે છે એમને પ્રધાનપદ માં પ્રમોશન જોઈએ છે. ભાજપ પક્ષના અમુક નેતાઓને મંત્રી બનવું છે. અમુકને રાજ્યકક્ષામાંથી કેબિનેટ પ્રધાન બનવું છે એટલે જોશ જોશ થી ગૃહમાં બોલે છે.
ઉમેદવારો આંદોલન કરવા આવે તો પોલીસ જેલમાં ભરી નાખે
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાત ક્યાં જઈ રહ્યું છે છેલ્લા 2 વર્ષમાં 2 કરોડ નો દારૂ પકડ્યો છે. રોજગારી નથી મળતી, પરીક્ષા ની જાહેરાત થાય પણ પરીક્ષા લેવામાં આવતી નહિ. પરીક્ષા લેવાય તો પરિણામ જાહેર નથી થયું. જો ઉમેદવારો આંદોલન કરવા આવે તો પોલીસ જેલમાં ભરી નાખે જે મુદ્દે રાજ્યપાલ ના પ્રવચનમાં કઈ જોવા મળ્યું નથી.
માસ્કની થઈ ફરિયાદ
ગુજરાત વિધાનસભા ની કાર્યવાહી દરમ્યાન ઘણા ધારાસભ્યોએ માસ્ક નહિ હોવાની પહેરતા હોવાની ફરિયાદ ભાજપના દંડક પંકજ દેસાઈએ અધ્યક્ષ ને કરી હતી. અધ્યક્ષે ધારાસભ્યોને રજુઆત સિવાયના સમયમાં માસ્ક પહેરી રાખવા ટકોર કરી હતી. વિધાનસભામાં માસ્ક વગર 20 જેટલા ધારાસભ્યો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. જેના જવાબમાં અમિત ચાવડાએ ગૃહમાં કહ્યુ હતુ કે સોશિયલ ડિસ્ટન્સિંગ તો છે.