અરવલ્લીના ભિલોડામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવકનો મૃતદેહને સ્વીકારવાની પરિવારે ના પાડી દીધી છે. પરિવારનો આરોપ છે કે યુવકની હત્યા થઈ હોવા છતાં પોલીસે ચોપડે હત્યાનો નહીં પણ આત્મહત્યાનો કેસ નોંધ્યો છે.
પરિવારનું કહેવું છે કે યુવતનું મોત એ હત્યા છે
પોલીસ તપાસ નહીં કરે તો નહીં લઈએ મૃતદેહ
હોસ્પિટલમાં કર્યો હોબાળો
પોલીસે હત્યાને બદલે આપઘાતનો ગુનો દાખલ કરતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. ભિલોડામાં એક યુવકનું પોતાનાજ ઘરની નજીક મોત થયું હતુ. ત્યારે ઘટનાસ્થળે પોલીસ સહિતનો કાફલો ઉતરી પડ્યો હતો પરંતુ આ ઘટનાને પોલીસે પ્રાથમિક તપાસમાં આપઘાતનો ગુનો નોંધ્યો હતો. જેને પગલે પરિવારજનોમાં નારાજગી પ્રર્વતી હતી.
અરવલ્લીના ભિલોડામાં કોટેજ હોસ્પિટલમાં પરિવારે હોબાળો કર્યો છે. જેમાં એક પરીવારે મૃતકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ નહીં કરવામાં આવતા હોબાળો કર્યો હતો. આથી હોસ્પિટલમાં હોબાળાના પગલે પોલીસ કાફલો તુરંત જ હોસ્પિટલ પહોંચ્યો હતો. આ યુવકનું સવારે પોતાના નિવાસસ્થાન નજીક મોત થયું હતું. યુવકે આપઘાત કર્યો હોવાની ચર્ચા હતી.
પરિવારનું શું છે કહેવું?
પરિવારનું કહેવું છે કે યુવતનું મોત એ હત્યા છે. યુવકને કોઈ દુખ નહોતુ કે તે આપઘાત કરે. આ રીતે આપઘાતનો કેસ નોંધીને પોલીસ તપાસને ટુંકાવી રહી છે. હત્યાનો કેસ નોંધે તો તેમને તપાસ કરવી પડે એટલે જ આપઘાતનો કેસ નોંધ્યો છે જ્યાં સુધી હત્યાનો ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે મૃતદેહને સ્વીકારીશુ નહીં. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવો જ પડશે.