સરકાર બાળકોનાં વિકાસ, પોષણ અને પ્રિ-સ્કૂલિંગ એક્ટિવિટી માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે પરંતુ હકીકત એ છે કે આજે અનેક ગામોમાં આંગણવાડીમાં ભણતા બાળકો સરકારી મકાનનાં અભાવે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. તો ક્યાંક ભાડાનાં જર્જરિત મકાનમાં દેશનું કુમળું ભાવિ સરકારી બેદરકારીનો ભોગ બની રહ્યું છે.
5 વર્ષથી નાની ઉંમરનાં બાળકોનાં શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારનાં સહયોગથી રાજ્યમાં આંગણવાડી (Anganwadi) કેન્દ્રો ચલાવવામાં આવે છે. દર વર્ષે બજેટમાં બાળકોનાં વિકાસ માટે મસમોટું ભંડોળ ફાળવવામાં આવે છે તેમ છતાં રાજ્યમાં આજે અનેક આંગણવાડી કેન્દ્રોમાં દુર્દશા જોવા મળી રહી છે. ક્યાંક આંગણવાડીનું સરકારી મકાન જ નથી તો ક્યાંક પાણી કે સ્વચ્છતાની કોઈ સુવિધા નથી અને આ તરફ સરકાર (Government) કુપોષણ (Malnutrition) દૂર કર્યાનાં આંકડા ઊભા કરીને સબ સલામત હોવાનો સંતોષ માની રહી છે. ત્યારે જોઈએ આ આંગણવાડીઓની દુર્દશાની હકીકત દર્શાવતો અહેવાલ.
સરકાર બાળકોનાં વિકાસ, પોષણ અને પ્રિ-સ્કૂલિંગ એક્ટિવિટી માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે પરંતુ હકીકત એ છે કે આજે અનેક ગામોમાં આંગણવાડીમાં ભણતા બાળકો સરકારી મકાનનાં અભાવે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. તો ક્યાંક ભાડાનાં જર્જરિત મકાનમાં દેશનું કુમળું ભાવિ સરકારી બેદરકારીનો ભોગ બની રહ્યું છે. જે તાપીથી લઈને રાજકોટ સુધી આંગણવાડીની દુર્દશાનો પ્રાતિનિધિક નમૂનો દર્શાવી રહ્યાં છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં આંગણવાડી ભવનનો અભાવઃ
રાજકોટનાં કણકોટ પાટીયા પાસે આવેલી આંગણવાડીનાં 25 બાળકો સરકારી મકાનનાં અભાવે ગંદકી પાસે પાસે આવેલા ખાનગી મકાનમાં ભણવા મજબૂર બન્યાં છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં તાપી જિલ્લાનાં ચિચબરડી ગામની આંગણવાડીનું છે જ્યાં આંગણવાડી કેન્દ્રનું મકાન છેલ્લાં 5 વર્ષથી જર્જરિત હોવા છતાં માસૂમ બાળકો નજીકનાં પંચાયતનાં મકાનનાં ઓટલે તાઢ, તાપ અને વરસાદમાં બેસવા અભ્યાસ કરવા મજબૂર બન્યાં છે.
રાજ્યમાં અનેક ગામોમાં આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. પરંતુ સરકારને તે રિપેર કરવાનો કે નવા આંગણવાડી કેન્દ્રોનાં નિર્માણ કરવાનું મુહૂર્ત મળતું નથી. એક તરફ સરકાર મહિલા અને બાળવિકાસ માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે પરંતુ તેમ છતાં અનેક ગામડાંઓમાં સુવિધાસભર આંગણવાડી ભવનનાં અભાવે ખુલ્લામાં ભણવા મજબૂર છે. રાજકોટની કણકોટ પાટિયા પાસે આવેલી આંગણવાડીનાં છે. કરોડો રૂપિયાનાં ભવનો બાંધતી સરકાર અહીંયા પોતાનું કહી શકાય તેવું આંગણવાડીનું મકાન આજ સુધી બાંધી શકી નથી. પરિણામે બાળકો આંગણવાડીનાં નામે ખુલ્લી ગટરો પાસે બેસીને ભણવા મજબૂર બન્યાં છે. અહીં વાલીઓ મુંજાઈ રહ્યાં છે કે જો આને જ આંગણવાડી કહેવાતી હોય તો પછી પોતાનાં ઘરે જ બાળકોને આંગણવાડીમાં નહીં મોકલવામાં શું વાંધો છે?
આંગણવાડી જર્જરિત મકાન કે ખુલ્લામાં ચલાવવી પડે છે તેનાં કારણમાં સરકારનાં જડ નીતિ નિયમો છે. સરકાર પાસે પોતાનું કહી શકાય તેવું આંગણવાડીનું મકાન નથી. તો બીજી તરફ ઉત્સવોમાં અને તાયફાઓમાં કરોડોનું આંધણ કરતી સરકાર રૂ. 1000થી વધારે ભાડું ચૂકવવા રાજી નથી એટલે ગામનાં કોઈ લોકો પોતાનું મકાન આંગણવાડીને ભાડે આપતું નથી. જેનો આ આંગણવાડીનાં 30 જેટલા બાળકો બની રહ્યાં છે.
આ થઈ રાજકોટની આંગણવાડીઓની દુર્દશાની વાત. હવે આવી જ હાલત તાપી જિલ્લાનાં ચિચરબડી ગામ સહિત અન્ય 82 આંગણવાડીઓની છે. ચીચરબાડી ગામની આંગણવાડીમાં અહીં છેલ્લા 5 વર્ષથી જર્જરિત થયેલી આંગણવાડીમાં ચોમાસા દરમ્યાન ટપકતા પાણીથી બાળકો પરેશાન છે. ગમે ત્યારે ધસી પડે તેવો ભય હોવાથી બાળકો નજીકના પંચાયતનાં મકાનના ઓટલા પર ટાઢ, તાપ અને વરસાદમાં બેસવા મજબૂર બન્યાં છે.
ચોમાસા દરમ્યાન કેટલાક વાલીઓ તેમના માસુમ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું ટાળી રહ્યાં છે. તાપી જિલ્લામાં આવા 1049 જેટલા કેન્દ્રો કાર્યરત છે પરંતુ તે પૈકી 82 કેન્દ્રોનાં મકાનો જર્જરિત છે અને તેમાં પણ 36 જેટલા કેન્દ્રો અતિ જર્જરિત હાલમાં છે. જે હકીકતનો સ્વીકાર ખુદ મહિલા અને બાળવિકાસ વિભાગનાં અધિકારીઓ કરી રહ્યાં છે. એક તરફ સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાતો કરાય છે, જ્યારે તંત્રનાં જવાબદારો દ્વારા પાયાની કહેવાતી મકાનની સુવિધા જ ન અપાતી હોય તો સરકારની નીતિ પર શંકા ચોક્કસપણે ઉભી થાય છે. જો માસૂમ બાળકોનાં પ્રારંભિક શિક્ષણની પરિસ્થિતિ જ આવી હોય તો બાળકોને માનસપટ પર કેવી અસર થશે તે વિચારવું રહ્યું.