ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસની વચ્ચે રાજસ્થાન-ગુજરાત બોર્ડર સીલ કરવામાં આવી છે જેમાં ST બસનો પ્રવેશ પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસનો કહેર
ગુજરાત રાજસ્થાનની બોર્ડરો સીલ
RTPCR નેગેટિવ હોય તો જ પ્રવેશ
રાજસ્થાન-ગુજરાતની રતનપુર બોર્ડર કરાઈ સીલ
દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે એવામાં ભારત પણ બાકાત રહ્યું નથી, ગુજરાત સહિત અનેક રાજ્યો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે ત્યારે રાજસ્થાનમાં ગહેલોત સરકારે 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે એવામાં રાજસ્થાન બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે કોરોના મહામારીના કેસમાં સતત વધારો થતા રાજસ્થાન સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે 14 દિવસના લોકડાઉન દરમિયાન 10 મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણ પણે સીલ કરી દેવામાં આવી છે જેને લઈ ગુજરાતમાંથી પ્રવેશના તમામ વાહનોને નો એન્ટ્રી આપવામાં આવી છે.
ગુજરાત-રાજસ્થાનની એસટી બસોનો પ્રવેશ પ્રતિબંધ
મહત્વનું છે કે આવશ્યક માલવાહક વાહનો અને ખાનગી વાહનોને રાજસ્થાનમાં પ્રેવશ કરવો હશે તો તેમને RTPCR રિપોર્ટ નેગેટિવ બતાવવો આવશ્યક બની રહેશે, તેમજ રાજસ્થાનમાં પ્રવેશનાર લોકો જરૂરી દસ્તાવેજો નહી બતાવે તો તેમણે 15 દિવસ રાજસ્થાનમાં કોરોન્ટાઈનમાં રહેવું પડેશે. લોકડાઉની અસરને જોતા હવે ગુજરાત સરકારની એસ.ટી નિગમની બસ પણ રાજેસ્થાનમાં પ્રવેશ નહી કરી શકે, તો બીજી તરફ ગુજરાતને રાજસ્થાન સાથે જોડનારી તમામ બોર્ડરો પણ સીલ કરી દેવામાં આવી છે રાજસ્થાન ગુજરાતની રતનપુર બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે રતનપુર બોર્ડર પર સામાન્ય દિવસોમાં પ્રવાસીઓને ભારે ધસારો જોવા મળતો હોય છે અને રાજસ્થાન સરહદને અડીને આવેલી હોવાથી લોકડાઉનની સખ્તાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. રતનપુર બોર્ડર પર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો પણ બેસાડી દેવામાં આવી છે.
આવશ્યક માલવાહક વાહનોને મળી રહ્યો છે પ્રવેશ
જે બોર્ડર પરથી પસાર થનારના RTPCR ટેસ્ટ કરી શકે જે પણ મુસાફરો કે ખાનગી વાહનોને RTPCR ટેસ્ટ ન હોય તેમને પરત મોકલી દેવામાં આવે છે બીજી તરફ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિ.મી દુર જ રાજસ્થાનની સરહદ આવેલી છે તેને પણ સીલ કરી દેવામાં આવી છે રાજસ્થાનમાં લોકડાઉન શરૂ થતા જ રાજસ્થાનની સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ ઉપર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. તેમજ અંબાજી નજીક આવેલી છાપરી ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાનો ચિતાર
ગુજરાત રાજ્યમાં કોરોના સામેની લડાઇ વધુ મજબૂત થતી જઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કડક પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે અને નવા કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. રાજ્યમાં મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે એક્ટિવ કેસ તથા ગંભીર દર્દીઓ પણ ઓછા થઈ રહ્યા છે. આટલું જ નહીં રાજ્યમાં પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં 1,39,614 એક્ટિવ કેસ, 786 વેન્ટિલેટર પર છે.
કોરોના વાયરસ કેસ અપડેટ (9 મે, 2021)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8394 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,770 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,33,004 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે.