કોરોના વાયરસના કારણે દુનિયામાં વર્ષ 2008 જેવી આર્થિક મંદી થવાના ભણકારા થઇ રહ્યા છે. કોરોનાના કારણે ઘણા બધા દેશોના અર્થતંત્ર તળિયાઝાટક થઇ ગયા છે એવામાં ભારતમાં પણ આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.
ભારત તેના GDPનો 3 ટકા ખર્ચ કરે તો પણ 6.4 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે
કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ઉધારી આપવામાં છૂટ આપી શકે
કોરોના સંકટના કારણે રાજ્યોનાં ટેક્સ કલેક્શનમાં ભારે ઘટાડો નોંધાશે
કોરોના વાયરસનાં કારણે દેશમાં લોકડાઉનની જાહેરાતા બાદ દેશના દરેક રાજ્યને કોરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઇ રહ્યું છે. આ આર્થિક નુકસાનને પહોંચી વળવા જો ભારત તેના GDPનો 3 ટકા ખર્ચ કરે તો પણ 6.4 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે.
રાજય સરકારો પોતાના બજેટનાં 15 ટકા ખર્ચ કરે તો 6.4 લાખ કરોડની જરૂર
નિષ્ણાતોનું માનવું છે કે કોરોના વાયરસના કારણે માત્ર સ્વાસ્થ્ય સેવાઓ પર જ નહી પરંતુ આ વાયરસના કારણે પ્રભાવિત થયેલા ક્ષેત્ર માટે રાજ્ય સરકારોને વધારાના ફંડની જરૂર પડશે. લોકડાઉનના પગલે આ બધું ફરીથી પાટા પર લાવવા માટે જો ખૂબ મોટા ફંડની જરૂર પડશે. મિન્ટ દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે કે જો આ બધાને પહોંચી વળવા માટે રાજય સરકારો પોતાના બજેટનાં 15 ટકા ખર્ચ કરે તો 6.4 લાખ કરોડની જરૂર પડશે.
રાજ્ય
બજેટ ( વર્ષ 2020-2021 )
15 % ખર્ચ
વધારાનું ફંડ
ગુજરાત
214, 133
246,253
32,120
દિલ્હી
65000
74,750
9,750
ઉત્તરપ્રદેશ
512,681
589,790
76,929
બિહાર
211,761
243,525
31,764
ઝારખંડ
86,670
99,326
12,956
છત્તીસગઢ
100,491
115,565
15,074
મહારાષ્ટ્ર
434,085
499,198
65,113
કોરોના વાયરસના સંકટને જોતા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ઉધારી આપવામાં છૂટ આપી શકે છે. વર્ષ 2008ની મંદી દરમિયાન રાજ્યોને તેમની ઉધાર સીમામાં 0.5 ટકાની છૂટ આપવામાં આવી હતી.
ટેક્સ કલેક્શનમાં ભારે ઘટાડો
કોરોના સંકટના કારણે રાજ્યોનાં ટેક્સ કલેક્શનમાં ભારે ઘટાડો નોંધાશે. જેના કારણે રાજ્યોનું અર્થતંત્ર ડામાડોળ થાય તેવી સંભાવના છે. કોરોના વાયરસના ઘણા રાજ્યોના કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને આવનાર સમયમાં બીજા રાજ્યો પર તેની અસર વર્તાશે.
કેન્દ્રનું રાહત પેકેજ પૂરતું નથી
કેન્દ્ર સરકારે લોકડાઉનથી પ્રભાવિત રાજયો માટે 1.7 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેના પર નિષ્ણાતોનું માનવું છે કે આ ફંડ રાજ્ય સરકારો માટે પૂરતું નથી. આ પેકેજ વધારવાની જરૂર પડશે.