બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહ આજે મેટ્રોસિટીમાં, અમદાવાદીઓ આજે આ રસ્તાઓ પર ન નીકળતા, ટ્રાફિક પોલીસનું જાહેરનામું

જાણી લેજો / અમિત શાહ આજે મેટ્રોસિટીમાં, અમદાવાદીઓ આજે આ રસ્તાઓ પર ન નીકળતા, ટ્રાફિક પોલીસનું જાહેરનામું

Last Updated: 06:09 AM, 18 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah In Ahmedabad : અમદાવાદમાં આજે પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે જાહેરસભા સહિતના વિકાસકાર્યોના લોકાર્પણના ભાગરૂપે શહેરના અનેક માર્ગ પર વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે, જાણો વૈકલ્પિક રુટ કયો ?

Amit Shah In Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ તરફ અમિત શાહના કાર્યક્રમને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં કેટલાક વિસ્તારોમાં માર્ગ અવર-જવર પર પ્રતિબંધ તો કેટલાક માર્ગો પર વન-વે રોડ જાહેર કરાયો છે.

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ તરફ હવે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ આજે તા.18/05/2025 ના રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જે કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની પેટા કલમ 33(1)(1) (બી) (સી)ની સત્તા અન્વયે આજે તા.18/05/2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી, ભારત સરકારના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

  • શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
  • વૈકલ્પિક માર્ગની વિગત
  • શાસ્ત્રીનગર ચાર રસ્તા થી ફોનવાલે કટ થી ડાબી બાજુ વળી ટેલીફોન એક્સ્ચેન્જ ચાર રસ્તા થઈ પારસનગર ટી થઈ એ.ઈ.સી. બ્રિજ તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે. આ સાથે સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.

અખબારનગર વન-વે ટ્રાફિક જાહેરનામું.

  • અખબારનગર વન-વે ટ્રાફિક જાહેરનામાં મુજબ હરિઓમ ચાર રસ્તાથી સ્વામીવિવેકનંદ લાઇબ્રેરી થઈ જોગણીમાતાનાઆ મંદિર સામેથી શિવમ ફ્લેટથી અખબારનગર સર્કલ તરફ આવતો આશરે 900 મીટરનો રોડ-માર્ગ વાહનોના જવા માટે વન-વે રહેશે.
  • વૈકલ્પિક માર્ગની વિગત
  • અખબારનગર સર્કલ AMTS ડેપોથી આનંદનગર સર્કલ (જૈન દેરાસર) થઈ શ્રીનાથ બસ સ્ટેન્ડ તરફ આવતા રોડ-માર્ગ પર વાહનો આવી શકશે.

કાંકરીયા વન-વે ટ્રાફિક જાહેરનામું

  • લખનઉ જલેબી ત્રણ રસ્તાથી કાંકરીયા ગેટ નં.3 થી અણુવ્રત સર્કલ સુધીનો આશરે 800 મીટરનો રસ્તો વન વે. રહેશે.
  • વૈકલ્પિક માર્ગની વિગત
  • ફુટબોલ ગ્રાઉન્ડ તરફ થી આવતો ટ્રાફિક કાંકરીયા ગેટ નં.૩ થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તા થી જમણી બાજુ વળી વાણીજય ભવન સર્કલ થી ડાબી બાજુ વળી કાલુપુર તરફ તેમજ જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઇ અનુપમ બ્રિજ ખોખરા, મર્ણીનગર તરફ જઈ શકશે.
  • મજુરગામ તરફથી આવતો ટ્રાફીક પારસી અગિયારીથી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તા થી જમણી બાજુ વળી વાણીજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તેમજ કાંકરીયા ગેટ નં.૩ ઇક્કા ક્લબ અરેના સ્ટેડીયમ તરફ જઇ શકશે.
  • રાયપુર તરફથી આવતો ટ્રાફીક લખનઉ જલેબી ત્રણ રસ્તા થી ડાબીબાજુ વળી વાણીજ્ય ભવનન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા,મણીનગર તેમજ કાંકરીયા ગેટ

અણુવ્રત સર્કલ થી વાણીજ્ય ભવન ચાર રસ્તા થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તા સુધીનો આશરે ૬૦૦ મીટરનો રસ્તો વન-વે રહેશે.

  • વૈકલ્પિક માર્ગની વિગત
  • ખોખરા અનુપમ બ્રિજ તેમજ મણીનગર તરફથી આવતો ટ્રાફીક અણુવ્રત સર્કલ થી ડાબી બાજુ વળી કાંકરીયા ગેટ નં.૩ થી જમણી બાજુ વળી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર તરફ જઇ શકશે.
  • કાલુપુર તથા ન્યુ-ક્લોથ માર્કેટ તરફ થી આવતો ટ્રાફીક વાણિજ્ય ભવન સર્કલ થઇ અણુવ્રત સર્કલ થઇ જમણી બાજુ વળી કાંકરીયા ગેટ નં.૩ થી ફુટબોલ ગ્રાઉન્ડ થી ભુલાભાઈ તેમજ મજુરગામ તરફ જઇ શકશે.

વધુ વાંચો : રાજ્યમાં કમોસમી વરસાદનો ખતરો, આગામી 7 દિવસ વરસાદની આગાહી, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.15/05/2025ના સાંજ કલાક 16:00 થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Police Commissioner Amit Shah
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ