ગુજરાતમાં નવરાત્રીમાં કયા મંદિર ખુલ્લા રહેશે અને ક્યાં કયો પ્રસાદ મલશે આવો તેના વિશે જાણીએ.
અંબાજી મંદિર રહેશે ખુલ્લુ
ખોડલધામના દ્વાર પણ ખુલ્લા
ચોટીલે જઈ શકશો
ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થાનોને ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી છે. આવો જાણીએ કે ક્યાંથી અને કેટલો પ્રસાદ લઈ શકશો.
શું કહ્યું પ્રદીપસિંહ જાડેજાએ?
ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, પ્રસાદી વહેંચણીની ગાઇડ લાઇનનું સ્વંયશીસ્તથી પાલન થાય તે આવશ્યક છે. કોવિડ-19ની ચેપ ફેલાતા એક નાની એવી ભૂલ હજારો નાગરિકો માટે ઘાતક નિવડી શકે છે. આવા સંજોગોમાં પ્રસાદી વિતરણ માટે સોશીયલ ડીસ્ટન્સ,માસ્ક, પ્રસાદી સ્વમેળે લેવા જેવી બાબતોનું પાલન કરવાનું રહેશે.
મા અંબાનું સ્થાન અંબાજી ખુલ્લુ રહેશે
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દસ રૂપિયા વાળા પ્રસાદના નાના પેકેટ બંધ કરી દેવાયા છે જ્યારે 250 ગ્રામના પેકેટમાં મોહનથાળનો પ્રસાદ 50 રૂપિયામાં આપવામાં આવશે. અંબાજી આવતા માઈભક્તોને દર્શન કર્યા બાદ કાગળના ખોખામાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રસાદ અપાય છે. આ વખતે નવરાત્રિ દરમિયાન અઢીસો ગ્રામ પ્રસાદના 4 લાખ પેકેટ તૈયાર કરવાનું મંદિર ટ્રસ્ટનું આયોજન છે.
ખોડલધામમાં પણ મળશે પ્રવેશ
ખોડલધામ કાગવડ મંદિર ખાતે સુખડી પ્રસાદ અને ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે. સુખડીનો પ્રસાદ પેકેટમાં અપાશે. ભોજન પ્રસાદ દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇનનું પૂરેપૂરું પાલન કરાશે. મંદિરમાં ધ્વજારોહણકાર્યક્રમમાં 100 વ્યક્તિઓને પ્રવેશે પણ આપવામાં આવશે.
ચોટીલામાં પણ ધરાવી શકશો પ્રસાદ
ચામુંડા માતા મંદિરમાં ભોજન પ્રસાદ નહીં અપાય. જોકે જે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈને જશે તેમને માતાજીને પ્રસાદ ધરાવી પેકેટ પરત કરાશે.
ઊંઝામાં પણ મંદિરમાં જઈ શકાશે
ઉમિયા માતાજી મંદિરમાં લૉકડાઉનથી જ પ્રસાદ બંધ છે. નવરાત્રિ દરમિયાન સરકારની ગાઈડ લાઇન મુજબ માત્ર આરતી જ, પ્રસાદ નહિ. મંદિરમાં માત્ર ભેટ કુપનનો પ્રસાદ પ્લાસ્ટિક પેકિંગમાં અપાશે.