તમામ મંદિરો સૂર્યગ્રહણને કારણે બંધ રહેશે. સૂર્યગ્રહણ સવારે 8:06 મિનિટે શરૂ થઈને 10:53 મિનિટે પુરૂ થશે. આરતીથી લઈને તમામ પૂજા અર્ચના ગ્રહણ પત્યા બાદ જ થશે. અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના મોટા મોટા મંદિરોમાં પણ સવારના દર્શન ભક્તો નહીં કરી શકે.
ગ્રહણમાં શું છે ધાર્મિક વીધી
ગ્રહણની વિગત
મંદિરોના સમય કેમ બદલાયો
બુધવારે રાત્રે 8થી વેધનો પ્રારંભ થઇ ગયો હતો. ગુરૂવારે સવારે 8:06ના ગ્રહણ સ્પર્શ છે જ્યારે ગ્રહણ મોક્ષ સવારે 10:52થી છે. પ્રાત: આરતી, પૂજન ઈત્યાદી પૂજાવિધિ કાર્યો થશે નહીં . પ્રથમ મહાપૂજા આરતી મધ્યાહને ગ્રહણ મોક્ષ બાદ જ કરાશે. મધ્યાહન પૂજન-આરતી નિયત સમયમાં કરાશે. ' શાસ્ત્રવિદોના મતે આપણા હિન્દુ શાસ્ત્રોમાં બે પ્રકારના ગ્રહણનું પ્રતિપાદન કરવામાં આવે છે. જેમાં એક સૂર્યગ્રહણ અને બીજું ચંદ્રગ્રહણ છે.
આકાશમાં અદ્ભૂત-અલૌકિક ખગોળિય ઘટના સૂર્યગ્રહણ થવાનું છે. માગશર કૃષ્ણપક્ષ અમાસના ધન રાશિ મૂળ નક્ષત્રમાં થનારા કંકણવૃતિ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ગુજરાતમાં આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ રહેશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણને પગલે જ્યોર્તિલિંગ સોમનાથ, શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરોમાં ગુરૂવારે દર્શનનના સમયમાં ફેરફાર કરાયો છે. મોટાભાગના મંદિરોમાં બપોરે 12 બાદ જ દર્શન થઇ શકશે
ગ્રહણમાં શું છે ધાર્મિક વીધી
ચાલુ ગ્રહણે એક જ સૃથાને બેસીને ભગવાનના મંત્રોનો જાપ-કીર્તન કરવું જોઇએ. સૂર્ય ગ્રહણ-ચંદ્રગ્રહણ વખતે રાંધેલું અન્ન વધેલું પડયું હોય તો ત્યજવું. શણ-ઉન-દર્ભ-રેશમ આ પૈકી કોઇ પણ વસ્તુના વણેલા કાપડ-ધાબળી, આસન કે અંબર પવિત્ર ગણ્યા છે. સુતરાઉ કપડાં, આસન વગેરેનો સ્પર્શ ગ્રહણ દરમિયાન થઇ શકે નહીં. સૂર્યગ્રહણના અંતે સર્વે મનુષ્યોએ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઇએ.'
ગ્રહણની વિગત
વેધ પ્રારંભ : 25 ડિસેમ્બબર-બુધવાર રાત્રે 8થી.
ગ્રહણ સ્પર્શ : 26 ડિસેમ્બર-ગુરૂવાર સવારે 8:06થી.
ગ્રહણ મધ્ય : 26 ડિસેમ્બર-ગુરૂવારે સવારે 9:21થી.
ગ્રહણ મોક્ષ : 26 ડિસેમ્બર-ગુરૂવાર સવારે 10:52થી.
ગ્રહણના દિવસે કયા મંદિરના સમયમાં શું પરિવર્તન?
સોમનાથ મંદિર
25 ડિસેમ્બર : પ્રક્ષાલનકાર્ય, શયન આરતી વગેરે કાર્યો સાંજે 7:30થી 8 સુધીમાં સંપન્ન કરાશે.
26 ડિસેમ્બર : પ્રાત: આરતી, પૂજન ઈત્યાદી પૂજાવિિધ કાર્યો થશે નહીં . પ્રથમ મહાપૂજા આરતી મધ્યાહને ગ્રહણ મોક્ષ બાદ જ કરાશે. મધ્યાહન પૂજન-આરતી નિયત સમયમાં કરાશે.
શક્તિપીઠ અંબાજી
25 ડિસેમ્બર રાત્રે 8થી 26 ડિસેમ્બર બપોરે 1 સુધી મંદિર બંધ રહેશે. 26 ડિસેમ્બરે રાજભોગ/ સવારની આરતી બપોરે 1 થી 1:30, બપોરના દર્શન 1:30થી 4:15, મંદિર મંગળ બપોરે 4:15થી 6:30, સાંજના દર્શન 7થી 9, મંદિર મંગળ રાત્રે 9થી રહેશે. 27 ડિસેમ્બરથી રાબેતા મુજબ દર્શન થશે.
ડાકોર-રણછોડરાયજી મંદિર
26 ડિસેમ્બર-ગુરૂવારે સવારે 6:15થી સવારે 11:45 સુધી મંદિર બંધ રહેશે. સવારે 11:45ના નીજ મંદિર ખુલીને બપોરે 12ના મંગળા આરતી થશે. આ પછી બપોરે 1:30થી 2, બપોરે 2:30થી 3, બપોરે 3:30થી 4 દર્શન થઇ શકશે. બપોરે 4:14ના નિજ મંદિર ખુલી 4:30 કલાકે ઉતૃથાપન આરતીના દર્શન થઇ નિત્યક્રમ અનુસાર શયન ભોગ-સખડી ભોગ આરોગી રણછોડજી મહારાજ પોઢી જશે.
કેમ્પ હનુમાન મંદિર-અમદાવાદ
સવારની આરતી નહીં કરવામાં આવે, ભક્તો દર્શન કરી શકશે પણ ભોગ ધરાવી નહીં શકે. બપોરે 12 બાદ રાબેતામુજબ દર્શન થઇ શકશે.
જગન્નાથ મંદિર, અમદાવાદ
મંગળા આરતી-સવારના દર્શન નહીં થાય. સવારે 11:30ના આરતી સાથે મંદિરમાં રાબેતા મુજબ દર્શન થઇ શકશે.
ઇસ્કોન મંદિર-અમદાવાદ
25 ડિસેમ્બરે રાત્રે 9:30થી મંદિર બંધ થશે. આ પછી 26 ડિસેમ્બર-ગુરૂવારના બપોરે 4:00 સુધી મંદિર બંધ રહેશે અને દર્શન થશે નહીં. આ પછી રાબેતા મુજબ દર્શન થઇ શકશે.