ગુજરાતના 6 જિલ્લા 25 માર્ચ સુધી લોકડાઉન કરી દેવાયા છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કચ્છને સંપૂર્ણ બંધ કરી દેવાયા છે. આ જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય અન્ય તમામ દુકાનો બંધ રહેશે. જે જિલ્લામાં કોરનાના પોઝિટિવ મળ્યા છે તે તમામ જિલ્લા માટે આ નિર્ણય લેવાયો છે. જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. જેથી જિલ્લામાં રહેતા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. તો ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
કોરોના વાયરસને લઇ GSRTC સેવા 25 માર્ચ સુધી બંધ રહેશે
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ
કોરોના વાયરસને લઈને RMC દ્વારા લેવાયો નિર્ણય
કોરોના વાયરસને લઇ ગુજરાત ST દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. 25 માર્ચ સુધી STના તમામ રૂટ બંધ રહેશે. આજથી STના તમામ રૂટો બંધ રહેશે. રાજ્યની 7 હજાર 500 બસ 25 માર્ચ સુધી બંધ રહેશે. એક્સપ્રેસ, લોકલ અને આંતરરાજ્ય કનેક્ટિવીટી બંધ રહેશે. ST વિભાગની 7 હજાર 500 બસની રોજની કુલ 45 હજાર ટ્રીપ બંધ રહેશે. GSRTC વિભાગનું રોજનું ટર્નઓવર 7 કરોડ છે. તો અમદાવાદની AMTS-BRTS અને રાજકોટની BRTS અને સીટી બસ પણ બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનનો નિર્ણય
31 માર્ચ સુધી આ છ જિલ્લાઓ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25મી માર્ચ સુધી તમામ પાર્ક અને ગાર્ડન, AMTS-BRTS, ખાનગી ઓફિસો, તમામ ઉદ્યોગો-ફેક્ટરીઓ, હોટલો અને રેસ્ટોરન્ટને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. માત્ર દૂધ-શાકભાજી, કરીયાણા અને દવાની દુકાનો જ ચાલુ રહેશે.
કોરોના વાયરસને લઈને RMC દ્વારા લેવાયો નિર્ણય
રાજકોટ મનપા દ્વારા કોરોના વાયરસને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે મનપા દ્વારા 90 સીટી બસ અને 10 BRTS બસ 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોને કરીયાણું હોમ ડિલિવરી કરાશે. કરિયાણા સ્ટારોના માલિકો સાથે ચર્ચા બાદ મનપા દ્વારા આ નિર્ણય લેવાયો છે.
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ
વિશ્વભરના દેશોને ઝપેટમાં લીધા બાદ કોરોના વાયરસે હવે ગુજરાતને પણ ભરડામાં લીધું છે. ત્યારે સુરતમાં વધુ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના વધુ બે પોઝિટિસ નોંધાતા સુરતમાં કોરોના વાયરસની સંખ્યા પાંચ પર પહોંચી છે. સુરતમાં કુલ સાત કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા જેમાંથી બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દુબઇથી આવેલા એક 32 વર્ષિય યુવકનો કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે એક 45 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે હજી પાંચ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. મહત્વનું છે કે સુરતમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના પોઝિટીવ કેસનો આંક 20 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20 કોરોનાના કેસ
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. બે કેસ પોઝિટિવ આવતાની સાથે જ સુરતમાં અત્યાર સુધી કોરોનાના કુલ પાંચ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર અને વડોદરાની વાત કરીએ તો કોરોનાના ત્રણ ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં છે. આ તરફ રાજકોટ અને કચ્છમાં પણ કોરોનાનો એક એક કેસ પોઝિટિવ કેસ આવ્યો છે. જેને લઇ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત નિપજ્યું છે.