વાયુ / ગુજરાત પર સંકટ! 4 વાવાઝોડા ફંટાઇ ગયા બાદ શું આ વખતે પણ ફંટાશે કે ટકરાશે?

Gujarat alert for cyclone vayu

ટેક્નોલોજીનાં કારણે વાવાઝોડા અંગે મળતી અગમચેતીરૂપ માહિતી નાગરિકોને સાવધ કરી આપે છે પરિણામે જાનમાલનું નુકસાન ખાળી શકાય છે. છતાં પણ કુદરતી વાવાઝોડાં તેની તીવ્રતા અને તેનાં આક્રમણ સામે ટકી રહેવા માટે માટે મનુષ્ય અને તેની ટેક્નોલોજી હંમેશા વામણી જ રહેવાની. કેમ કે કુદરતનાં બળ સામે મનુષ્યની કોઈ વિસાત નથી. 12મી જૂને મધરાતે `વાયુ' વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંપૂર્ણ સંભાવનાઓ જોવાઈ રહી છે. કચ્છ, સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ થઈ રહી છે. જો કે, 2014 પછી ગુજરાત પર 6 વાવાઝોડાનો ખતરો ઝળુંબ્યો હતો. પરંતુ ગુજરાત આ વાવાઝોડાનાં વિનાશથી બચી ગયુ હતું. કારણ કે 6 વાવાઝોડામાંથી 4 વાવાઝોડાં  ફંટાઈ ગયા હતાં જ્યારે બે વાવાઝોડા દરિયામાં જ શમી ગયા હતાં.

બ્રેકિંગ ન્યૂઝ