ગુજરાતમાં રેશનિંગ કૌભાંડ કંઈ નવી વાત નથી. ગરીબોને કરોડોની સહાયના આંકડા જાહેર કરતી સરકાર ખરેખર એ સહાય ગરીબો સુધી પહોંચે છે કે નહીં? તેની તમા કેમ નથી રાખતી? કે પછી દારૂના વેપારમાં જેમ કહેવાય છે કે હપતા પહોંચે છે એમ શું ગરીબોના ભાગના અનાજના વહિવટના પણ હપ્તા પહોંચતા હશે? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક સરકારી અનાજ બારોબાર વેચાઈ જતુ હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
અમદાવાદમાં ગરીબોનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ
લખતરના અણિયારી ગામનું સરકારી અનાજનો બારોબાર વેપાર
અનાજનો જથ્થો વિરમગામમાં વેચવાના કૌભાંડનો આક્ષેપ
અમદાવાદમાંથી ગરીબોનું અનાજ બારોબાર વેચવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. લખતરના અણીયારી ગામમાંથી સરકારી અનાજનો બારોબાર વેપાર કરવામાં આવી રહ્યો હતો.. અનાજનો જથ્થો વિરમગામ વેચવાના કૌભાંડનો આક્ષેપ થઈ રહ્યો હતો. ત્યારે હવે વિરમગામ ગ્રામ્ય પોલીસે સરકારી અનાજ ભરેલું વાહન ઝડપી પાડ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 14, 2020
અનાજ થેલીઓમા ભરીને ખાનગી વાહનથી વિરમગામમાં વેચવામાં આવે છે.. મૉલખતર તાલુકા પંચાયતનો સભ્ય આ સરકારી અનાજની દુકાન ચલાવે છે.. ત્યારે હવે આ દુકાનદાર સામે શું કાર્યવાહી કારશે તે આગામી સમયમાં જોવાનું રહેશે.