શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બે ભાઇ પર પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યએ ચપ્પા વડે ઘાતકી હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં આ હિંસક ઘટના ઘટી હતી.
સામાન્યે બાબતે જીવલેણ હૂમલો
બે ભાઈઓ ઉપર ચારેય જણાનો પરિવાર તુટી પડયો
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હનુમાનનગરની ગલીમાં રહેતા રીતેન્દ્ર યાદવે તેની પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્ય વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે રીતેન્દ્ર તેના મોટાભાઇ તેમજ નાનાભાઇ અને પત્ની સાથે રહે છે અને નરોડાની એક ફેક્ટરીમાં નોકરી કરે છે.
ચારેય જણાએ હુમલો કરીને છરીના ઘા ઝીંક્યા હતા
ગઇ કાલે રીતેન્દ્રના નાનાભાઇ શિવકુમારનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા ગોવિંદ નામના યુવકે લાફો માર્યો છે. રીતેન્દ્રએ તેને ઘરે જતા રહેવાનું કહ્યું હતું. નોકરી પૂરી કરીને રીતેન્દ્ર ઘરે ગયો ત્યારે અજય, ગોવિંદ, તેના પિતા રાજેશ અને માતા પુષ્પાબહેને તેની સાથે બબાલ કરવાનું શરૂ કર્યું હતું અને જોતજોતામાં હુમલો પણ કરી દીધો હતો. રીતેન્દ્ર અને તેના ભાઇ શિવકુમાર પર ચારેય જણાએ હુમલો કરીને છરીના ઘા ઝીંક્યા હતા.
મેઘાણીનગર પોલીસને થતાં તેઓ તાત્કાિલક ઘટનાસ્થળે પહોંચી
ઇજાગ્રસ્ત રીતેન્દ્ર અને શિવકુમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને થતાં તેઓ તાત્કાિલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચારેય વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.