શું સરકાર રોગચાળાના આંકડા છુપાવી રહી છે? આ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચુકી છે અને ખુદ સરકારે જ આ અંગે કબૂલાત પણ કરી છે. બર્ડ ફ્લૂ અને ઝીંકા વાઈરસના કેસની માહિતી મનપાએ છુપાવી હતી.
અમદાવાદમાં ઝીકા વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો
મનપાએ છેક 3 મહિના બાદ આપી હતી માહિતી
બર્ડફ્લૂના કેસમાં પણ માહિતી છુપાવી હતી
આખો મામલો લોકસભાના એક પ્રશ્ન દરમિયાન બહાર આવ્યો હતો. લોકસભામાં 29મી ઓક્ટોબર 2019ના રોજ એક પ્રશ્ન પુછાયો હતો તે વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો હતો કે, અમદાવાદમાં દેશનો પહેલો ઝીકા વાયરસનો કેસ નોંધાયો છે.
મનપાએ છેક 3 મહિના બાદ આપી હતી માહિતી
મ્યુનિ.ના હેલ્થ ખાતાએ મગનું નામ મરી પાડયું ન હતુ પણ ત્રણ મહિના પછી પ્રેસ કોન્ફરન્સ કરીને ઝીકા વાઇરસના ત્રણ કેસ જોવા મળ્યો હતો. આ અંગે માહિતી સામે આવી હતી કે, શહેરમાં ડિસેમ્બર 2017માં બાપુનગરમાં ઝીકા વાઇરસનો કેસ નોંધાયો હતો પણ તેની માહિતી છ મહિના સુધી છુપાવી રાખી હતી.
બર્ડફ્લૂના કેસમાં પણ માહિતી છુપાવી હતી
લોકસભામાં પ્રશ્ન પુછાયો હતો પછી મ્યુનિ.એ માહિતી છુપાવી હતી. આ પહેલાં ડિસેમ્બર 2016માં પણ બર્ડ ફ્લૂ અંગે પણ આવી ઘટના ઘટી હતી. વસ્ત્રાલના રિંગ રોડ ઉપર ચાઇનીઝ મરઘા રોડ ઉપર છોડી દેવાયા હતા જેનો રિપોર્ટ ડિસેમ્બરના અંતમાં આવ્યો હતો કે, આ મરઘા બર્ડ ફ્લૂ પોઝીટીવ છે.
પણ મ્યુનિ.એ છેક જાન્યુઆરી 2017 સુધી આ માહિતી છુપાવી રાખી હતી તે વખતે વિપક્ષ દ્વારા એવો આરોપ પણ લગાડયો હતો કે, વાઇબ્રન્ટ સમિટના કારણે મ્યુનિ. દ્વારા બર્ડ ફ્લૂની માહિતી છુપાવી હતી. આ વખતે પણ કોરોના વાઇરસના મુદ્દે મ્યુનિ. તંત્ર દ્વારા નિયમિત બ્રિફિંગ કરવામાં આવતુ નથી.