કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વર્ષ 2016માં પ્રથમ સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરાયું હતું. હવે આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2020 માટેની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. અમદાવાદે 6000 માર્ક્સમાંથી 1500 માર્ક મેળવ્યા હતા.
શહેરીજનોના પ્રતિભાવ માટે કુલ 1500 માર્ક
દેશના કુલ 434 શહેરમાં અમદાવાદ 12માં નંબરે આવ્યું હતું
10 લાખથી વધુ વસતીવાળા અમદાવાદ સહિતના કુલ 73 શહેરને આવરી લેવાયા
અમદાવાદ પણ રાબેતા મુજબ આ સ્વચ્છ સર્વેક્ષણમાં જોડાયું છે. આગામી સર્વેક્ષણમાં વિવિધ પ્રકારના મૂલ્યાંકન હેઠળ કુલ છ હજાર માર્ક પૈકી સૌથી વધુ માર્ક મેળવનાર શહેરને પ્રથમ નંબરે જાન્યુઆરી 2020માં જાહેર કરાશે.
અમદાવાદ 12માં નંબરે
પહેલાં સ્વચ્છ સર્વેક્ષણ-2016માં દસ લાખથી વધુ વસ્તીવાળા અમદાવાદ સહિતના કુલ 73 શહેરને આવરી લેવાયા હતા. જેમાં અમદાવાદનો દેશમાં 14મો ક્રમાંક આવ્યો હતો. સ્વચ્છ સર્વેક્ષણ-2017માં દેશના કુલ 434 શહેરમાં અમદાવાદ 12માં નંબરે આવ્યું હતું. શહેરીજનોના પ્રતિભાવ માટે કુલ 1500 માર્ક છે જ્યારે કેન્દ્રની ટીમ દ્વારા શહેરની મુલાકાત લઇને થનારા પ્રત્યક્ષ નિરીક્ષણના 1500 માર્ક છે.
ગાર્બેજ ફ્રી સીટીની પરીક્ષા
આ ઉપરાંત GFC (ગાર્બેજ ફ્રી સિટી)ના 1000 માર્કસ અને ODF (ઓપન ડેફીકેશન ફ્રી)ના 500 માર્કસ એમ આ બંને સર્ટિફિકેટના કુલ 1500 માર્ક છે. મ્યુનિસિપલ સત્તાવાળા દ્વારા GFCમાં થ્રી સ્ટાર રેટિંગ મેળવ્યા બાદ હવે ફાઇવ સ્ટાર રેટિંગ મેળવવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ ઉપરાંત વિભિન્ન પ્રકારની સેવાક્ષેત્રની પ્રગતિ માટે પણ ત્રિમાસિક મૂલ્યાંકનના આધારે માર્ક નક્કી કરાયાં છે.
આગામી તા. 4 થી 31 જાન્યુઆરી 2020 સુધી કેન્દ્ર સરકારની ટીમ નાગરિકોના પ્રતિભાવ મેળવશે ઉપરાંત જે તે કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરશે.