ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારની ઉજવણી ચાલી રહી છે. તહેવારોના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 198 કેસ નોંધાયા છે જ્યારે 2 લોકોના મૃત્યું થયા છે.
અમદાવાદમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ
24 કલાકમાં કોરોનાના વધુ 198 કેસ નોંધાયા
છેલ્લા 3 દિવસમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો
દિવાળીના તહેવારના કારણે અમદાવાદમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 198 કેસ નોંધાય છે જ્યારે 2 લોકોના મૃત્યું થયા છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરમાં છેલ્લા 3 દવિસમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. જેમાં કોવિડ હોસ્પિટલમાં 80 ટકાથી વધુ દર્દીઓ દાખલ થયા છે. જેને AMCએ હવે 100 ડિગ્રીથી વધુ તાવ હોય તો જ ટેસ્ટ કરાવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડના કારણે કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. નિયમો તોડીને લોકોના ટોળા એકઠા થતાં ગંભીર સ્થિતિ સર્જાઇ છે. સરકારી હોસ્પિટલોમાં ઝડપથી બેડ ભરાઇ રહ્યાં છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.