અમદાવાદ કોંગ્રેસમાં આજે હડકંપ સર્જાયો છે. પીઢ નેતા બદરુદ્દીન શેખ સહિત 15 હોદ્દેદારોના રાજીનામા ધરી દેતા અમદાવાદ કોંગ્રેસમાં લે-મેલ થઈ ગઈ છે. આયાતી ઉમેદવારને પેટાચૂટણીની ટિકિટ અપાતા કોંગી નેતાઓ પક્ષથી ખફા હતા.
ગુજરાતમાં જે રીતે કોંગ્રેસથી અંસતૃષ્ટોનો રાફડો ફાટ્યો છે તે મુજબ એવું લાગે છે કે, ભાજપનું કોંગ્રેસમુક્ત અભિયાન ખુદ કોંગ્રેસીઓ જ પુરૂ કરી દેશે. આજે અમદાવાદ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હતો. ઘણા વર્ષો સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા રહી ચૂકયા બાદ બદરુદ્દીન શેખ સહિત 15 હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધા છે.
બહેરામપુરામાં યોજાઈ રહેલી પેટાચૂંટણીને મામલે એક આખા વર્ગમાં અસંતોષ વ્યાપી ગયો હતો. જેને પગલે બદરુદ્દીને રાજીનામું ધરી દીધુ હતુ અને તેના સમર્થનમાં અન્યો એ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
આયાતી ઉમેદવારને ટિકિટ આપતા રાજીનામાનો દોર
પેટાચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઇ નારાજગી છે. બહેરામપુરા વોર્ડમાં પેટાચૂંટણી યોજાવાની છે જેને પગલે 16 દાવેદારોને પડતા મુકી આયાતી ઉમદેવાર કમરૂદ્દીન પઠાણને ને ટિકિટ અપાઇ છે. આમુદ્દે કોંગ્રેસીઓમાં નારાજગી હતી. કોંગ્રેસે પણ તેમને મનાવવાની જગ્યાએ તેમની નારાજગીને નજરઅંદાજ કરતા 15 હોદ્દેદારોએ ટપોટપ રાજીનામા ધરી દીધા હતા.
કોણે કોણે આપ્યા રાજીનામા
બદરુદ્દીન શેખ સહીત 15 હોદ્દેદારોના રાજીનામાં આપ્યા છે. જેમાંથી 5 શહેર ઉપપ્રમુખના હોદ્દા ઉપર હતા અને 10 શહેર મહામંત્રીઓએ રાજીનામા આપ્યા છે. આ તમામે બદરુદ્દીન શેખના સમર્થનમાં આપ્યા રાજીનામા આપ્યા છે.
ગુજરાત પ્રેદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા બદરુદ્દીન શેખે રાજીનામુ આપ્યુ. તેના સમર્થનમાં કોણે કોણે કયા કયા પદ ઉપરથી આપ્યા રાજીનામા
તસ્નીમ આલમ બાવાસાહલ તીરમીઝી ઉપપ્રમુખ
ઝાહીદ હુસેન એમ કાદરી ઉપ પ્રમુખ
રફીકભાઈ વી, શેખ( શેઠજી) ઉપ પ્રમુખ
ઝરૂન શેખ ઉપપ્રમુખ
ગુલામનબી શેખ મહામંત્રી
અબ્દુલ રશીદ (પપ્પુભાઈ) શેખ મહામંત્રી
અલીમભાઈ અનસારી ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ, બક્ષીપંચ સેલ
સાજીદભાઈ શેખ મહામંત્રી
નસીરૂદ્દીન ચિશ્તી મહામંત્રી
ઝફર અજમેરી બહેરામપુરા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ
યુસુફભાઈ ઘાંચી મહામંત્રી
શબ્બીરભાઈ સૈયદ મહામંત્રી
મોહંમદ હુસેન શેખ મહામંત્રી
શુ્ં કહેવું છે બદ્દરુદ્દીન શેખનું?
બહેરામપુરામાં કાઉન્સિલરનું મોત થયુ અને જગ્યા ખાલી પડી અને ઉમેદવાર અમારામાંથી નહી પણ મનપામાંથી બે મહિના પહેલા રિટાર્યડ થયેલા ઓફિસરને ટિકિટ આપી દેવાઈ. આ ટિકિટ માટે ઓલરેડી 30 વર્ષથી જે લોકો કોંગ્રેસ સાથે કામ કરી રહ્યા હતા તેવા ઉમેદવારો દાવેદાર હતા પરંતુ પાર્ટી આ રીતે આયાતી ઉમેદવારને તુરંત જ ટિકિટ આપી દે તે કેમ યોગ્ય કહેવાય? આ ડેમેજ કંટ્રોલ તો પાર્ટીએ કરવું જ પડશે. ગમે તેટલો જૂનો કાર્યકર હોય પણ કોઈ આઈએએસ કે આઈપીએસ પાર્ટીમાં જોડાય એટલે તેને હોદ્દા આપી દેવાના? આ મુદ્દે મેં રાજીનામું આપ્યુ છે અને મારા સમર્થનમાં અન્ય લોકોએ પણ રાજીનામું આપી દીધુ છે.