રાજ્યમાં પાછોતરા વરસાદે અને એ પછી ક્યાર નામના દરિયાઈ ચક્રાવાતે ગુજરાતના ખેડૂતોની ખેતી બરબાદ કરી નાંખી છે. સિઝન ડિસબન્સને કારણે લણણી વખતે ધોધમાર કે ધીમીધારના વરસાદે તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડ્યુ છે પણ આ અંગે રાજ્યના કૃ।ષિ પ્રધાને વીમાકંપનીઓ દ્વારા અને સરકાર દ્વારા ખેડૂતોને બનતી મદદ કરવાની હૈયાધારણ આપી છે.
કૃષિ વિભાગ અને દરેક જિલ્લાના કલેક્ટર્સને કાર્યવાહીના આદેશ
વીમા કંપનીઓને સર્વે કરી રિપોર્ટ કરવા સૂચના અપાઈ
વળતર ચૂકવાય તેવા સરકારના પ્રયાસો : આર સી ફળદુ
જામનગરમાં અતિવૃષ્ટિ અને લીલા દુષ્કાળ અંગે કૃષિ મંત્રી આર સી ફળદુએ નિવદેન આપ્યું છે. કહ્યું કે નુકસાની અંગે ખેડૂતોને વળતર ચૂકવાય તેવા સરકાર પ્રયાસો કરી રહી છે.રાજ્યમાં અમુક ભાગોમાં કમોસમી વરસાદની અસર થઈ છે.જેથી કૃષિ વિભાગ અને દરેક જિલ્લાના કલેક્ટર્સને કાર્યવાહીના આદેશ આપ્યાં છે.અને વીમા કંપનીઓને તાત્કાલિક સર્વે કરી રિપોર્ટ આપવા સૂચના આપી દેવામાં આવી છે.
કમોસમી વરસાદને કારણે ઉભો પાક ધોવાઈ ગયો
હાલ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કમોસમી વરસાદ કેવી રીતે નુકસાનકારી છે તેને સમજીએ તો લણણીના સમયે જ પલળી જવાથી પાક નિષ્ફળ ગયો છે. ખેતરમાં પાક ઢળી જવાથી તે કોઇ કામનો નથી રહેતો. અને પલળી ગયેલા પાકને કોઇ વેપારી ખરીદતો નથી.
પશુઓનો ઘાસચારો પણ બરબાદ
પાકની સાથે-સાથે પશુઓ પશુઓનો ઘાસચારો પણ બરબાદ થઇ ગયો છે. ખેતરમાં પાણી ભરાઇ જવાથી શિયાળુ વાવેતર માટે મોડું થશે. શિયાળુ પાકનું વાવેતર મોડું થતાં ઉત્પાદન ઓછું થશે. કેરીના આંબા પર મોરનું આવરણ ઘટશે જેથી ઉનાળામાં કેરીનો સ્વાદ મોંઘો પડશે. હાલ તો ખેડૂતો સરકાર સામે નુકસાનીનો સર્વે કરી સહાયની માગણી કરી રહ્યા છે.
કૃષિ વિભાગે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. આથી કૃષિ વિભાગે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો છે. લણવાની પ્રક્રિયામાં થયેલી નુકસાનીની અરજી લેવા અંગે વાતચીત કરી છે. તેમજ વહેલી તકે નુકસાનીની રકમ ભરપાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે.
કિસાન સંઘે CMને લખ્યો પત્ર
અતિવૃષ્ટીના કારણે મગફળી પકવતા ખેડૂતોને નુકશાન થતા ભારતીય કિશાન સંઘે CMને પત્ર લખીને રજૂઆત કરી હતી. કપાસ, મગફળી, સોયાબીનને નુકશાન થયાનો ઉલ્લેખ કર્યો હતો અને પાકનો ઝડપી સર્વે કરવા CM રૂપાણીને માગણી કરી હતી. ભીની મગફળીની ખરીદી થતી ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોટાભાગના ખેડૂતોની મગફળી વરસાદમાં પલળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કિશાન સંઘે કહ્યું કે, ભીની મગફળીનો પાક વીમો ખેડૂતોને મળે.