ખાતરના ભાવમાં ધરખમ વધારો થયો છે જેને લઈને સબસિડી અને ભાવવધારાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કૃષિમંત્રી આ અંગે શુ ફેંસલો લે છે તેના પર સૌની નજર છે.
ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો
કેન્દ્રીય કૃષિમંત્રી સાથે ફળદુ કરશે બેઠક
ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ
રાસાયણિક ખાતરના ભાવ વધવાનો મુદ્દો સામે આવ્યો છે. કૃષિમંત્રી ભાવ વધારાને લઇને કેન્દ્રીય કૃષિમંત્રી સાથે બેઠક કરશે, વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરશે. રાજ્ય કૃષિમંત્રી આર.સી ફળદુ કોરોના ક્વોરન્ટાઇન હાલ છે. કેન્દ્રીય કૃષિમંત્રી મંજૂરી આપશે તો આજે વીડિયો કોન્ફરન્સ યોજાશે.
ખાતરની સબસિડી વધારવા બાબતે કરશે વીડિયો કોન્ફરન્સ
ખાતરની સબસિડી ખેડૂતોના ખાતામાં જમા થશે. DAP ખાતરની થેલી દીઠ ખેડૂતને 400 રૂપિયા સબસિડી ચૂકવાતી હતી. પહેલા સરકાર ખાતર કંપનીને સબસિડી ચુકવતી હતી. હવે ખેડૂતના ખાતામાં સબસિડી ચુકવવામાં આવશે.
ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ
ખેડૂતને ખાતરની થેલી 1200 મળે તેવી રજૂઆત કૃષિ વિભાગ કરશે. દિલીપ સખીયાએ ભાવ વધારાને પરત લેવા માંગ કરી છે. આ અંગે ખેડૂત આગેવાન જયેશ ડેલાટે પરસોત્તમ રૂપાલાને પત્ર પણ લખ્યો છે અને ખેડૂતો દ્વારા સતત ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી રહી છે.
ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો
ઇફકો કંપનીના ખાતરમાં ઝીકયો ભાવ વધારો
DAP ખાતરના 700 અને ASPમા 375 થયો વધારો
DAP ખાતરમાં 1200 જગ્યા 1900 રૂપિયા થયા
NPK (16) મા 1185 જગ્યાએ 1800 રૂપિયા થયા
NPK (26) મા 1175 જગ્યાએ 1775 રૂપિયા થયા
ASP મા 975 રૂપિયાના સ્થાને 1350 રૂપિયા ભાવ વધારો થયો