કૃષિ કાયદાના ખેડૂતોના વિરોધ મુદ્દે આજે ગુજરાતના કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર 3 કૃષિ કાયદા લાવ્યા છે. જેનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વિના વિરોધ કરે છે. આ અંગે રાષ્ટ્રપતિને આવેદન પત્ર મોકલવામાં આવ્યા છે.
1967ના APMC એક્ટ પ્રમાણે હાલની વ્યવસ્થા ચાલી રહી છે. APMCમાં લે-વેચનું કામ થાય છે. ભારતમાં મોટા મૂડી રોકાણ આવી રહ્યાં છે. કૃષિ ક્ષેત્રમાં ચીલાચાલુ પદ્વતિમાંથી ખેડૂતોને બહાર લાવવા આવશ્યક છે તો જ દેશનો વિકાસ થશે. PM મોદી ખેતીમાં સુધાર લાવવા પ્રયાસ કરી રહ્યાં છે અને ગુજરાતમાં CM હતા ત્યારે કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. કૃષિ મહાવિદ્યાલયોમાં સંશોધનોને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. આપણને સૌને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી ફાયદાકારક છે.