રાજ્યમાં હજુ પણ 5 હજાર અધ્યાપકોને પગાર ચૂકવવાનો બાકી હોવાનું સામે આવતા ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા ટ્વિટ કરીને પગાર ચૂકવવા અપીલ કરાઇ છે.
રાજ્યના 5 હજાર અધ્યાપકોને પગાર ચૂકવવાનો બાકી
શિક્ષણમંત્રીને ટ્વિટ કરી પગાર ન ચૂકવાયો હોવાની કરાઇ રજૂઆત
6 મહિનાથી અનિયમિત રીતે પગાર મળી રહ્યો છે: અધ્યાપક મંડળ
ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા ટ્વિટ કરીને રાજ્યના 5 હજાર અધ્યાપકોને પગાર ચૂકવવાની અપીલ કરાઇ છે. શિક્ષણમંત્રીને ટ્વિટ કરીને પગાર ન ચૂકવાયો હોવાની રજૂઆત કરાઇ છે.
અધ્યાપક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે, '6 મહિનાથી અનિયમિત રીતે પગાર મળી રહ્યો છે. આથી સરકાર ઝડપથી પગારની ચૂકવણી કરે.'
અમે ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવી રહ્યાં છીએ
ગુજરાત અધ્યાપક મહામંડળ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે, 'રાજ્યના અધ્યાપકોનો પગાર આજે 14 તારીખ થવા છતાં થયો નથી જેનાથી ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવી રહ્યાં છે. છેલ્લા ઘણા મહિનાથી અનિયમિત પગાર થવાને કારણે ઘરની લોન લીધી હોય તેના હપ્તા અને અન્ય ઇન્સ્ટોલમેન્ટ ભરપાઈ માં ખૂબ જ મોટી મુશ્કેલી થઈ રહી છે.'
રાજ્યના અધ્યાપકો નો પગાર આજે 14 તારીખ થવા છતાં થયો નથી જેનાથી ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાથી અનિયમિત પગાર થવાને કારણે ઘરની લોન લીધી હોય તેના હપ્તા અને અન્ય ઇન્સ્ટોલમેન્ટ ભરપાઈ માં ખૂબ જ મોટી મુશ્કેલી થઈ રહી છે.@mnagarajan@jitu_vaghani@CMOGuj
— ગુજરાત અધ્યાપક મહામંડળ (@Adhyapak_mandal) March 14, 2022
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ ટેગ કરાયું
ટ્વિટ કરીને અધ્યાપકોએ સરકાર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેઓ કહી રહ્યાં છે કે, અમે ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવી રહ્યાં છે. છેલ્લાં ઘણા મહિનાથી અનિયમિત પગાર થતો હોવાના કારણે ઘરની લોનના હપ્તા અને અન્ય ઇન્સ્ટોલમેન્ટની ભરપાઈ કરવામાં પણ ભારે મુશ્કેલી સર્જાઇ રહી હોવાનું જણાવી રહ્યાં છે. આ બાબતને લઇને તેમને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને CMO gujarat એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયને પણ ટેગ કર્યું છે.