જલ જીવન મિશન અંતર્ગત ૨૦૨૪ ગ્રામીણ ઘરોમાં 100 ટકા નળ જોડાણના લક્ષ્યાંક સામે ગુજરાતે બે વર્ષ અગાઉ એટલે કે ૨૦૨૨માં ગ્રામીણ વિસ્તારમાં 100 ટકા નળથી જળની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
ગુજરાતના ફાળે વધુ એક સિદ્ધી
ગુજરાત 100 ટકા હર ઘર નળવાળુ રાજ્ય જાહેર
રાજ્યના ગ્રામીણ વિસ્તારને 100 ટકા નળ જોડાણની સિદ્ધી
ગુજરાતે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારના ઘરોમાં ૧૦૦ ટકા નળ કનેક્શનની જબરી સિદ્ધિ હાંસલ કરી હોવાની મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરાઇ છે. રાજયના ગ્રામીણ વિસ્તારને ૧૦૦ ટકા નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજયની આજે કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની ઉદઘોષણા કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં ૧૦0 ટકા નળ જોડાણ દ્વારા પાણી પૂરું પાડવાનો અને દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે.
Yet another achievement on the auspicious occasion of #NewYear
મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરાઇ જાહેરાત
આ મિશન ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મોડલનું વિસ્તરણ છે, નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમલમાં મૂક્યું હતું. આ લક્ષ્યાંકને રાજય સરકાર દ્વારા બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૨માં ગ્રામીણ વિસ્તારમાં ૧૦૦ ટકા નળથી જળની સિદ્ધિ પ્રાપ્ત કરીને લોકોને નવા વર્ષની ભેટ આપી દેવામાં આવી છે. જેને લઇને ગુજરાતની વધુ એક સિદ્ધી દેશમાં ગાજી છે. જલ જીવન મિશનની ઉદઘોષણા બાદ ગુજરાત રાજયમાં મિશન મોડ પર આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
"पानी के क्षेत्र में गुजरात बना आत्मनिर्भर"
पानी जीवन का आधार है, पानी की एक एक बूंद की कीमत गुजरातियों से ज्यादा शायद ही कोई जानता होगा।
महिलाओं के जीवन को परिवर्तित करने से लेकर, हर घर नल की जरूरतों को पूरा करके दिखाया है "मोदी सरकार" ने। pic.twitter.com/pNKBJSzx1G
91.73 લાખ ઘરોને નળ જોડાણથી અપાઇ રહ્યું છે પાણી
આ મિશન હેઠળ ડુંગરાળ વિસ્તારથી લઇને રણ વિસ્તાર સુધી કપરા સંજોગો તથા કપરી પરિસ્થિતિ વચ્ચે સતત કામગીરી કરી ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦ અને ૨૧માં કોરોનાની મહામારી સમયગાળામાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા સતત પ્રયાસો થકી કામગીરી ચાલુ રાખી લોકોને નળ જોડાણ આપી શુદ્ધ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. હાલ જલ જીવન મિશન અંતર્ગત રાજયમાં કુલ ૬૩૨૮૭ કિલોમીટર વિતરણ પાઇપલાઇન, ૩૪૯૮ ભૂગર્ભ સંપ, ૨૩૯૬ ઊંચી ટાંકી, ૩૩૯ કૂવા, સ્થાનિક સ્રોત માટે ૩૯૮૫ ટયૂબ વેલ સહિતના ઘટકો તથા ૩૨૪ મીની યોજના, ૩૦૨ સૌર ઉર્જાથી ચાલતી પેયજળ વિતરણ વ્યવસ્થા થકી ૯૧.૭૩ લાખ ઘરોને નળ જોડાણથી પાણી આપીને ૧૦૦ ટકાની સિદ્ધિ હાંસલ કરેલ છે. આ ઉપરાંત વિભાગ દ્વારા ગ્રામીણ નાગરિકોને શુદ્ધ, નિયમિત અને પૂરતું પાણી પૂરું પાડવા રૂા.૧૫૯૮૯ કરોડની નવીન જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી હાથ ધરેલ છે સાથે જ જૂની જૂથ પાણી પુરવઠા યોજનાઓના સુધારણાની કામગીરી હાથ ધરેલ છે. જેથી ગ્રામીણ વસ્તીને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણીનો જથ્થો મળતો રહેશે.