દક્ષિણ ગુજરાતમાં 2018માં ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મિલીભગતમાં માત્ર કાગળ પર દર્શાવી હતી. આચરવામાં આવેલ કૌભાંડમાં સુરત ACB 41 ગુણ દાખલ કર્યા હતા. જેમાંથી 26 ગુનામાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ લીમીટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ આરોપી હતા. પ્રવિણકુમારની ગત 8 મેના રોજ ધરપકડ કરી હતી.
કર્મચારી પાસેથી 10 કરોડની સંપત્તિ મળી આવતા કાર્યવાહી
2018માં ACB દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ
પ્રવિણ પ્રેમલના દીકરાના ખાતામાંથી 3 કરોડ રૂપિયા મળી આવ્યા હતા
એસીબી તેમની તપાસ કરતા તેમની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જોકે જેને લઈને પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ACB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીના ઇતિહાસનો આ સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલકતનો કેસ છે.
મે 2018માં ગુજરાત જમીન વિકાસ લીમીટેડ ગાંધીનીગરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ જમીન વિકાસના કામોમાં લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી યોજનાઓની ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમિશન પેટે ઉચાપાત કરી હોવાની માહિતી મળી હતી. સુરત એસીબી દક્ષિણ ગુજરાતમાં તપાસ શરૂ કરતા ગુજરાત જમીન વિકાસ લીમીટેડના જુદા-જુદા અધિકારીઓ પાસેથી હિસાબી રોકડ 56.20 લાખની રકમ મળી આવી હતી. જોકે, આ રકમ બાબતે સંતોષકારક ખુલાસો ન મળતા એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકાબનાવ મામલે તપાસ કરતા વલસાડ આહવા ડાંગ અને નવસારી એસીબી દ્વારા 41 જેટલા ગુણ નોંધવામાં આવ્યા હતા. જેમાંથી 26 ગુનામાં જમીન વિકાસ અધિકારી પ્રવિણકુમાર પ્રેમલ હતા. જેને લઈને એસીબી દ્વારા તેમની મિલકતની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોતાની ફરજ દરમિયાન ધરમપુરના મદદનીશ નિયામક પ્રવિણકુમાર બાલચંદભાઈ પ્રેમલ કૌભાંડ આચર્યું હતું. તે સમયે કુલ 2.61 કરોડ રૂપિયાની ઉચાપાત કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આ અધિકારી ધોળકા ખાતે 1998માં ફરજ પર હતા. ત્યારે પોતાની ફરજ દરમિયાન ખેડૂત ખાતેદારને પ્રવાસમાં નહીં લઇ ગયા હોવા છતાંય ખોટા વ્યવહાર બનાવી 2 લાખની ઉચાપત કાર્યાની વાત પણ તપાસ દરમિયાન સામે આવી હતી.
જમીન વિકાસ અધિકારી ધરમપુર ખાતે ફરજ પર હતા તે સમયે પ્રવિણકુમારે ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરી કૌભાંડ આચર્યું હતું. જેમાં પુત્ર ચિરાગને પણ કૌભાંડમાં જોડી જીએલડીસીની વિવિધ યોજનાકીય કામોની કામગીરી દર્શાવી હતી. પ્રવિણકુમારે કોઈ પણ કામ કરે તેના માટે ગેંગલીડર નીમવાના પાવર હોય છે તે સમયે તે પોતાના દીકરાની નિમણૂંક કરતો હતો. સરકારી યોજનામાં કામ કર્યાના બિલ રજુ કરવામાં આવતા ત્યારે પુત્રનું નામ ગેંગલિડર તરીકે હતું. જોકે પુત્ર ચિરાગને આરટીજીએસ દ્વારા કુલ 3.92 કરોડ ચૂકવ્યા હતા. આ રકમ પૈકી ચિરાગે પિતા પ્રવિણકુમાર અને માતા દમયંતીબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આ રકમમાંથી પરિવારના નામે મિલકતો ખરીદવા રૂપિયાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન પ્રવિણકુમાર અને પરિવારજનોના નામે બીએમડબ્લ્યુ કાર, ફ્લેટ, ખેતની જમીન, દુકાનો, રેસ્ટોરન્ટ પ્લોટ મળી કુલ 32 જેટલી મિલકતો વસાવેલી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું.
ACBએ તેના પુત્ર અને પત્ની વિરૂદ્ધ પણ નોંધ્યો ગુનો
જોકે આ અધિકારી અતિયાર સુધીમાં છોટાઉદેપુર પાટણ રાધનપુર બનાસકાંઠા ગાંધીનગર ભુજ દાહોદ ધરમપુર આહવા ખાતે ફરજ દરમિયાન પર ગેરિટી કારિયાણી વાત સામે આવતા એસીબી દ્વારા આ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે જોકે તપાસ દરમિયાન એસીબીને પ્રવિણકુમાર અને તેના પરિવારજનો દ્વારા જુદા-જુદા એકાઉન્ટમાં 4.26 કરોડની રકમ જમા કરવામાં આવી હતી. જેમાંથી નોટબંધી બાદ 45.75 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. એસીબી દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 10.54 કરોડથી વધુની મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું હતું. જેથી એસીબીએ પ્રવિણકુમાર, તેની પત્ની દમયંતીબેન અને પુત્ર ચિરાગ સામે 201.62 ટકા વધુ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આજ રોજ એસીબીએ આ અધિકારી તેના પુત્ર અને પત્ની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.