ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે રાજ્યમાં પેટાચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં બાદ આ બેઠકો પર ફરી પેટાચૂંટણીને લઇને રાજ્યમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ત્યારે કચ્છની અબડાસા બેઠકની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ 2012ની રણનીતિ અપનાવે તેવી શક્યતા છે.
અબડાસા બેઠક માટે કોંગ્રેસ 2012ની રણનીતિ અપનાવશે
પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસ પાટીદાર સમાજને ટિકિટ આપે તેવી સંભાવના
2012માં કોંગ્રેસમાંથી છબીલ પટેલ ચૂંટણી જીત્યાં હતા
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને જાહેરાત કરવામાં આવશે. જો કે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને પક્ષ દ્વારા વિધાનસભાની બેઠકને લઇને નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.
કચ્છની અબડાસા પેટાચૂંટણીને લઇ VTV પાસે એક્સક્લુઝિવ માહિતી છે. અબડાસા બેઠક માટે કોંગ્રેસ 2012ની રણનીતિ અપનાવશે. આ પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસ પાટીદાર સમાજને ટિકિટ આપશે.
મળતી માહિતી મુજબ આ વખતે પણ અબડાસા પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાટીદારને ટિકિટ આપશે. કોંગ્રેસ પાટીદાર સમાજના યુવા ચેહરા પર પસંદગીનો કળશ ઉતારે તેવી શક્યતા છે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર સમાજને ટિકિટ આપી હતી. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી છબીલ પટેલ ચૂંટણી જીત્યાં હતા.