'ગુજરાતના દરેક વેપારીને યોગ્ય માન-સન્માન અપાશે', વેપારી સી.બી.આઈ અને ઇ.ડીના ડરમાં જીવી રહ્યો છે: CM કેજરીવાલ
દિલ્હીના CM કેજરીવાલની વધુ એક ગેરંટી
'વેપારી માટે ભયનું વાતાવરણ નાબૂત કરાશે'
'રેડ રાજ અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ આપાશે'
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રિય નેતાઓ ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો ચૂંટણી જંગ થવાનો છે ત્યારે AAP સંયોજક અરવિંદ કેજરીવાલ દર સપ્તાહે ગુજરાત આવી ગેરંટીઓ પર ગેરંટીનો વરસાદ કરી રહ્યા છે.
ત્યારે 2 દિવસના પ્રવાસ દરમિયાન કેજરીવાલે અમદાવાદમાં વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં નિવેદન આપતા કહ્યું કે ગઈકાલે જ્યારે હું ફ્લાઈટમાં આવતો હતો ત્યારે અમદાવાદનો એક સ્ટોક બ્રોકર બેઠો હતો. તેણે કહ્યું સાહેબ મારે તમારી સાથે ફોટો લેવો છે તો મેં કીધું કે લઈ લો, તો વેપારીએ કીધું કે રહેવા દો પ્રોબ્લેમ થઈ જશે. કેમકે તમારી પાછળ સી.બી.આઈ અને ઇ.ડી પડેલી છે. વેપારીઓ ગુજરાત સરકારથી ડરે છે. દેશના વેપારીઓ ફોટો લેવાથી ડરે છે તો દેશ ક્યાંથી આગળ આવશે ?
દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ આપી એડવાઇઝરી બોર્ડ બનાવીશું
ગુજરાતમાં ભયમુક્ત વેપારી હશે: CM કેજરીવાલ
વધુમાં કેજરીવાલે કહ્યું કે મને લાગ્યું કે આ દેશનો વેપારી પણ કેટલો ડરેલો છે. અમારી અમદાવાદની ઓફિસ પર કાલે પોલીસવાળા આવ્યા હતા. 3 પોલીસકર્મીઓએ દરોડા કરી તપાસ કરી પણ કઈ મળ્યું નહીં. વેપારીના મનમાંથી ડર નહી નીકળે ત્યાં સુધી વિકાસ નહી થાય, અમારી સરકાર બનશે તો ગુજરાતમાં ભયમુક્ત વેપારી હશે. જનતાના મનમાંથી ડર કાઢવો પડશે કારણ કે હું પોતે પણ વેપારી પરિવારમાંથી આવું છું. તેથી હું સારી રીતે જાણું છું કે વેપારી 24 કલાક કેટલો ટેન્શનમાં હોય છે.
ગુજરાતની ચુંટણી સોશિયલ મીડિયાથી જીતીશું: CM કેજરીવાલ
સૌથી વધુ વેપારી GST થી દુઃખી છે. મીડિયાને બહુ જ ડરાવીને રાખ્યા છે પણ ગુજરાતની ચુંટણી સોશિયલ મીડિયાથી જીતીશું. કેન્દ્ર સરકાર સામે પણ અવાજ ઉઠાવીશું કારણ કે GSTના દરમાં પણ સુધારો કરવાની જરૂર છે અને તેણે વધુમાં વધુ સરળ કરી વેપારી અને લોકોને સમજણ પડે તેવુ માળખું રાખવાની જરૂર છે.