સુરત: ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું અનેરું મહત્વ છે. તેથી ભારતના નાગરીકો સોના ચાંદીની ખરીદી શકુન સ્વરૂપે કરતા હોય છે. ધનતેરસના દિવસે ધનની પૂજા કરવા ઉપરાંત ગ્રાહકો સોના ચાંદીમાં મઢેલા દેવી-દેવતાઓની પૂજા અર્ચના પણ કરતા હોય છે અને ચાલુ વર્ષ લાભદાયી બને તે માટે પ્રાર્થના કરતા હોય છે.
સુરતના એક જ્વેલર્સે આ વખતે અનોખો પ્રયાસ સોના-ચાંદીમાં હાથ ધર્યો છે. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તથા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગોલ્ડના બિસ્કીટો તૈયાર કર્યા છે.
જેને ગોલ્ડની ભાષામાં કેટબરી પણ કહેવાય છે. ગ્રાહકો હોંસે હોંસે આ સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે બંને પ્રધાનમંત્રીએ દેશ માટે ઘણું કર્યું છે. તેથી તેમની પૂજા કરવી તે પણ આશિર્વાદ સમાન છે.
Gujarat: A jewellery shop in Surat is selling gold&silver bars with faces of PM Modi&former PM Atal Bihari Vajpayee engraved on them.A customer says "Lord Laxmi&Ganesh are worshiped on every #Diwali &PM Modi is also like God to us.This year I'll buy these bars & worship Modi Ji." pic.twitter.com/aSyUuWjfXO
આપને જણાવી દઇએ કે ગઇકાલે સુરતના એક મીઠાઇના વેપારીએ પણ સોનાના વરખવાળી મીઠાઇ બનાવી હતી જેનો ભાવ પ્રતિકિલો 9000 રૂપિયા રાખ્યો છે.
આ મીઠાઇ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે સોના-ચાંદીના એક વેપારીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ અને વર્તમાન PM નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ વાળા સોનાના બિસ્કીટ બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.