ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે હવે મેયર મામલે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત
કોણ બનશે મેયર?
મેયરપદ માટે ભાજપમાં મથામણ
6 મનપાની ચૂંટણીમાં જીત બાદ મેયરપદ માટે ભાજપમાં મથામણ થઈ રહી છે. તમામ 6 બેઠકો પર અનામતના નિયમ પ્રમાણે મેયરની પસંદગી થશે. મેયરપદ માટે લાયકાત ધારક ઉમેદવારોના નામો પર ચર્ચા થશે. મેયરની પસંદગી માટે આખરી નિર્ણય ભાજપનું મોવડીમંડળ કરશે. ભાજપ આ માટે આગામી વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખશે.