અમિત શાહ અને જેપી નડ્ડાની પેનલ 45 બોર્ડ નિગમમાં ચેરમનની વરણી માટે પેનલ તૈયાર કરવામાં આવી છે. ત્યારે જાણો કે કોનો કોનો સમાવશે થશે પેનલમાં અને ચેરમેન પદે?
ઓગસ્ટના અંતમાં બોર્ડ નિગમના ચેરમેનોની વરણી થશે. અને બોર્ડ નિગમના ચેરમેન વરણી બાદ કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ બોર્ડ નિગમના ચેરમેન પસંદગી માટે પેનલ તૈયાર કરાઇ છે.
45માંથી 25 ચૂંટાયેલા ધારાસભ્યોની પસંદગી કરેલાને સ્થાન મળશે
જેમાં અમિત શાહ, જે.પી.નડ્ડા, વિજય રૂપાણી અને નીતિન પટેલ, સી.આર.પાટીલ, કૌશિક પટેલનો સમાવેશ કરાયો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 45 બોર્ડ નિગમના ચેરમનની નિમણૂંક કરવામાં આવશે. 45માંથી 25 ચૂંટાયેલા ધારાસભ્યોની પસંદગી કરેલાને સ્થાન મળશે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હારેલાને પણ સ્થાન મળશે
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હારેલાને પણ સ્થાન મળશે. અને સંગઠનમાં પ્રતિષ્ઠિતિ હોદ્દા પર હોય તેમને પણ સ્થાન મળશે. બોર્ડ નિગમ ચેરમેન વરણી બાદ સંગઠનનું માળખું જાહેર કરાશે.
ઓગસ્ટના અંતમાં બોર્ડ નિગમના ચેરમેનોની થશે વરણી
બોર્ડ નિગમના ચેરમેન વરણી બાદ કેબિનેટનુ થશે વિસ્તરણ
બોર્ડ નિગમના ચેરમેન પસંદગી માટે તૈયાર કરાઈ પેનલઃ સૂત્ર