ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ કરી રહ્યો છે ત્યારે ગુજરાત તેમાંથી બાકાત નથી પણ ગુજરાતમાં અમુક જિલ્લામાં કોરોના હજુ સુધી પહોંચ્યો નથી. કોરોનાના આંકડા જોઈએ તો ગુજરાતના 4 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના કેસ હોવા છતાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જેમાં નર્મદા, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.
કુપોષીત જિલ્લાઓમાં કોરોનાથી એક પણ મોત નહીં
જિલ્લામાં કેસ છે પણ ઓછા છે અને મોત તો નોંધાયા જ નથી
ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિત!
ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 30773 પર પહોંચી ગઈ છે અને મોટા શહેરોથી લઈને ઘણા જિલ્લાઓમાં મૃત્યુના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં એંકદરે કુપોષણની અન્ય જિલ્લાની સરખામણીએ વધુ સમસ્યા ધરાવતા ચાર જિલ્લા નર્મદા, તાપી, ડાંગ અને દાહોદમાં આશ્ચર્યજનક રીતે કોરોનાથી હજુ સુધી એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. શહેરી વિસ્તારોની સરખામણીએ આ જિલ્લામાં દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે.
જિલ્લામાં કેસ છે પણ ઓછા છે અને મોત તો નોંધાયા જ નથી
દાહોદ જિલ્લામાં 26 જૂન સુધી કોરોનાના 57 કેસ, નર્મદામાં 85 કેસ, તાપીમાં 6 અને ડાંગમાં 4 કેસ નોંધાયા છે. પરંતુ ત્યાં એક પણ દર્દીનું મોત થયું નથી. આ જિલ્લાઓના અન્ય વિસ્તારો કરતા શ્રમજીવી વર્ગ વધુ હોવાથી આવકનું પ્રમાણ ઓછું છે તેમજ સેંકડો બાળકો કુપોષિત છે. ડોક્ટર્સ માટે પણ આ જિલ્લાઓમાં કોરોનાના કેસ છતાં એક પણ દર્દીનું મોત નથી થયું તે રિસર્ચની બાબત છે. આ વિસ્તારોમાં શહેરોની સરખામણીએ વધુ સારી સુવિધાઓ છે કે પછી ટ્રીટમેન્ટ મેથડમાં કોઈ ફેરફાર છે તે પણ એક તપાસનો વિષય છે.
ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિત!
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કુલ 30773 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના બાદ રાજ્યમાં કુલ 22417 લોકો સાજા થયા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 1790 લોકોના મૃત્યુ થયા છે.