નીતિ આયોગ દેશનાં વિવિધ મુદ્દે સાચી પરિસ્થતિના આંકડા આપતી સંસ્થા છે. તેણે દેશમાં ભ્રષ્ટાચારના વર્ષ ૨૦૧૮ના ચોકાવનારા આંકડા રજુ કર્યા હતા જેમાં ગુજરાતની પરિસ્થિતિ શરમજનક રહી હતી.
નીતીઆયોગના દેશના ભ્રષ્ટાચારના અહેવાલમાં ગુજરાત ત્રીજા ક્રમે
ગુજરાત સરકારની પહેલી પ્રાથમિકતા ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની
નીતિ આયોગનો અહેવાલ
ભારત સરકારની થીંક ટેંક સંસ્થા નીતિ આયોગએ ૨૦૧૮ના એક ચોકાવનારા રીપોર્ટમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારની પરિસ્થિતિ ઉઘાડી પાડી ડેટા આંકડા રજૂ કાર્ય હતા. આ મુજબ ગુજરાતમાં દર એક કરોડની વસ્તીએ ૧૬૭૭.૨૪ ભ્રષ્ટાચારના ગુના નોંધાય છે. આ મામલે ગુજરાતનો દેશમાં ત્રીજો ક્રમ આવે છે. ગુજરાતથ આગળ ફક્ત બે જ રાજ્ય છે જેમાં દર એક કરોડની વસ્તીએ અનુક્રમે ૨૪૯૨.૪૫ અને ૨૪૮૯.૮૩ ભ્રષ્ટાચારના ગુનાઓ નોંધાય છે.
એન્ટી કરપ્શન બ્યુરોનો રીપોર્ટ
ACBના રીપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારના ૨૦૧૭માં નોંધાયેલા કુલ ગુના કરતા ૨૦૧૮માં તે આંકડા બમણાથી પણ વધી ગયા છે. ૨૦૧૭ના ૧૪૮ નોંધેલા ગુના સામે ૨૦૧૮માં ૩૩૨ ગુના નોંધાયા છે. ભ્રષ્ટાચારનો આરોપ મુકાયેલા વ્યક્તિઓની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ૩ ગણો વધારો થયો છે. ૨૦૧૭માં આક્ષેપ મુકાયેલાનો આંકડો ૨૧૬થી ૨૦૧૮માં વધીને ૭૨૯ થઇ ગયો છે.
અન્ય ૨૦૧૮ના આંકડા
૨૦૧૮ના વર્ષમાં
ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ૨૦૯ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.
૩૨ ક્લાસ વન અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ છે.
૨૫૬ ખાનગી ક્ષેત્રના લોકોની સંડોવણી છે.
૮૯ લાખનું નાણું જપ્ત કરવામાં આવ્યું છે.
ગુજરાત જમીન વિકાસ નિગમ; રાજ્યનો ભ્રષ્ટાચારથી ખદબદતો ચરુ
ગુજરાત જમીન વિકાસ નિગમ પોતાના ભ્રષ્ટ કામકાજ માટે કુખ્યાત હતું. અહી ACBના દરોડામાં ૫૬ લાખની રોકડ જપ્ત થઇ હતી. અહી જમીનના કૌભાંડો, હજારો ખોટા બીલો અને અધિકારીઓ ખેડૂતો પાસે યોજનાના લાભ માટે લાંચ માંગવાની બૂમોના પગલે નવેમ્બર ૨૦૧૮માં આ નિગમ વિખેરી નાખવામાં આવ્યું હતું.
CMની કબૂલાત, રાજ્યને ભ્રષ્ટાચારમુક્ત કરવું જરૂરી
૮ ઓગસ્ટે વિજય રૂપાણીના CM બન્યાના ૩ વર્ષ પૂર્ણ થયા હોવાની ઉજવણીના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે રાજ્યને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ ઉપરાંત ૪ સપ્ટેમ્બરે રાજ્યના કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓની બેઠકમાં પણ તેમણે અધિકારીઓને ભ્રષ્ટાચારીઓ સામે ઝીરો ટોલરન્સ પોલીસી એટલે માફ નહિ કરવાનું વલણ રાખવાની તાકીદ કરી છે.